જુનાગઢ વંથલીમાં કાર અને બાઈક વચ્ચે ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત, સારવાર દરમિયાન એક મહિલાનું કરુણ મૃત્યુ…પરિવારમાં માતમ છવાઈ ગયો….

Published on: 11:34 am, Fri, 26 August 22

ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે વંઠલી પાસે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં કાર અને બાઈક વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી, તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.

મહિલાનું મૃત્યુ થતાં તેના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો જુનાગઢના મજેવડી ગામે રહેતા વિપુલભાઈ પરમાર 21 ઓગસ્ટના રોજ બાઈક લઈને પરિવાર સાથે જઈ રહ્યા હતા. ત્યારે વંથલી બસ સ્ટેશન પાસે પુરપાટ ઝડપે આવતીકાલે બાઈકને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ ગંભીર અકસ્માતની ઘટનામાં વિપુલભાઈ અને પરિવારના સભ્યો અને સામાન્ય ઇજા પહોંચી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં મનિષાબેન પરમાર નામની મહિલાને ગંભીર ઈજા પહોંચે હતી તેથી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

જ્યાં 24 ઓગસ્ટના રોજ સારવાર દરમિયાન મનિષાબેનનું મૃત્યુ નીપજ્યું હતું. મનિષાબેનના મૃત્યુના કારણે તેમના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયું હતું. અજાણ્યો કારચાલક હજુ પણ ફરાર છે. પોલીસ દ્વારા તેની કોઈ પણ પ્રકારની શોધખોળ કરવામાં આવી નથી.

મળતી માહિતી અનુસાર મનીષાબેન બાળકો સાથે જન્માષ્ટમી નો તહેવાર ઉજવવા માટે પોતાના પિયરમાં આવ્યા હતા. ત્યારે તેઓ પરત ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. હાલમાં પોલીસ અજાણ્યા કારચાલકની શોધખોળ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જુનાગઢ વંથલીમાં કાર અને બાઈક વચ્ચે ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત, સારવાર દરમિયાન એક મહિલાનું કરુણ મૃત્યુ…પરિવારમાં માતમ છવાઈ ગયો…."

Leave a comment

Your email address will not be published.


*