ગુજરાતમાં ખાતરની થેલી પર સબસીડી ને લઈને કૃષિમંત્રી આર.સી.ફળદુ એ આપ્યું મહત્વનું નિવેદન.

Published on: 9:08 am, Sat, 22 May 21

ખાતર ની કિંમતમાં વધતા ભાવ મુદ્દે કૃષિ મંત્રીએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે રો મટીયલસ ના ભાવ વધ્યા છે. આમ છતાં રાજ્ય અને કેન્દ્ર સરકાર 56 લાખ ખેડૂતોની પડખે ઉભી છે. રાસાયણિક ખાતર ના ભાવ વધારા મામલે કૃષિમંત્રીએ મહત્વનું યોગદાન આપ્યું છે.

અને કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે રો મટીરિયલસ ના ભાવ વધ્યા છે. કંપની હોય ઉત્પાદન બંધ કરતાં સરકારે મધ્યમ માર્ગ કાઢ્યો છે. ખાતાની એક બેઠક પર 700 રૂપિયાની સબસીડી સરકાર આપશે.

જેને લઈ સરકાર પર વધારાના 25 હજાર કરોડનું ભારણ આવશે. મહત્વનું છે કે 19 મેના દિવસે પ્રધાનમંત્રી મોદીએ ખાતરના ભાવ પર હાઇ લેવલ મીટિંગ બોલાવી હતી.

અને મિટિંગમાં ખાતરના ભાવના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં અધિકારીઓએ પ્રધાનમંત્રી ને ખાતર ના ભાવ સંબંધિત તમામ મુદ્દાઓ થી વાકેફ કર્યા હતા.

બેઠકમાં પ્રધાનમંત્રી ને જણાવવાનું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ફોસ્ફરિક એસિડ અને એમોનિયમ એસિડના ભાવમાં જંગી વધારો થવાથી ઘરઆંગણે ખાતરના ભાવ વધારે છે. ખેડૂતોને હવે 1200 રુપિયામાં ડીએપી ની એક થેલી મળશે.

ગયા વર્ષે ડીએપી ની એક થેલિનો ભાવ 1700 રૂપિયા હતો પરંતુ કેન્દ્રની 500 રૂપિયાની સબસીડી સાથે ખેડૂતોને 1200 રૂપિયામાં થેલી મળતી હતી. પહેલા 500 રૂપિયાની સબસીડી મળતી હોવાથી ખેડૂતોને ડીએપી ની એક થેલી 1900 રૂપિયામાં મળતી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં ખાતરની થેલી પર સબસીડી ને લઈને કૃષિમંત્રી આર.સી.ફળદુ એ આપ્યું મહત્વનું નિવેદન."

Leave a comment

Your email address will not be published.


*