ગોંડલમાં એક પુત્રએ પોતાના મામા સાથે મળીને પિતાનો જીવ લઈ લીધું, જાણો શા માટે કર્યું આવું…

Published on: 10:55 am, Thu, 4 November 21

રાજકોટના ગોંડલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ગોંડલના મોવિયા ગામના ભાવેશભાઈ વઘાસીયા ની વાડીમાં રહેતા અને મજૂરીકામ કરતા 50 વર્ષીય સુરસંગી રાઠવા સોમવારના રોજ વાડીના રસ્તા પર પથ્થર વડે તેમના પર પ્રહાર કરવામાં આવ્યો હતો.

આથી તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેથી તેમને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે પરિવારજનોની પૂછપરછ કરી હતી.

ત્યારે જાણવા મળ્યું કે આ પ્રહાર કોઈ બીજાને નહીં પણ તેના પુત્ર અને તેના મામાએ સાથે મળીને કર્યો છે. પિતાના દારૂ પીવાની ટેવથી કંટાળીને પુત્ર માનસિક રીતે થાકી ગયો હતો અને તેના કારણે તેને આ પ્રકારનું પગલું ભર્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે પુત્ર અને મામાની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું કે સુરસંગી દારૂ પીને પોતાના પરિવાર સાથે માથાકૂટ કરતા હોવાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી અને પૂછપરછ દરમિયાન સુરસંગીના પુત્ર અને સાળા શંકર રલાભાઈ કિકરીયા સાથે મળીને સુરસંગીના માથાના ભાગે પથ્થર વડે પ્રહાર કર્યો હતો આવી પોલીસને કબૂલાત આપી હતી.

આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે શંકર ની ધરપકડ કરી છે અને પુત્રની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર 1 નવેમ્બરના રોજ સુરસંગી પોતાના શેઠ પાસેથી પૈસા લઇને દારૂ પી ગયા હતા.

અને દારૂ પીને તેઓ સાંજના સમયે વાડી ના રસ્તા પર પડ્યા હતા. આ અંગે જાણ થતા પુત્ર અને તેના મામા બંને ત્યાં પહોંચ્યા હતા અને ગુસ્સામાં આવીને બંનેએ પથ્થર વડે સુરસંગી પર પ્રહાર કર્યા હતા અને તેને ઇજાગ્રસ્ત હાલતમાં ત્યાં જ મૂકીને જતા રહ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગોંડલમાં એક પુત્રએ પોતાના મામા સાથે મળીને પિતાનો જીવ લઈ લીધું, જાણો શા માટે કર્યું આવું…"

Leave a comment

Your email address will not be published.


*