દાહોદમાં 8 વર્ષની બાળકી સાથે શાળામાં કંઈક એવું બન્યું કે, બાળકીનું રિબાઈ રિબાઈને મોત…જાણો દીકરી સાથે એવું તો શું થયું હશે…

Published on: 11:08 am, Tue, 27 December 22

દાહોદ શહેરમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. દાહોદ શેર નજીક આવેલા રામપુરા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં એક 8 વર્ષની દીકરીનું મોત થતા ચારેય બાજુમાં તમે છવાઈ ગયો છે. દીકરીનું મોત એવી રીતે થયું કે કોઈએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. મળતી માહિતી અનુસાર શાળાના પ્રવેશ દ્વારનો લોખંડનો ખૂબ જ વજનદાર ગેટ અચાનક જ તૂટી પડતા માસુમ બાળકી નીચે દબાઈ ગઈ હતી.

આ ઘટનામાં દીકરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી ત્યારબાદ તેને સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવી હતી. અમદાવાદમાં સારવાર દરમિયાન દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના બનતા જ ગામના લોકોમાં રોષ સાથે શોકની લાગણી જોવા મળી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સમગ્ર ઘટના બન્યા બાદ શાળાના આચાર્ય અને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત બાળક કલ્યાણ સમિતિએ પણ ઘટનાની ગંભીરતાને લઈને શાળાની મુલાકાત લીધી છે. મૃત્યુ પામેલી બાળકીનું નામ અસ્મિતા હતું અને તેની ઉંમર આઠ વર્ષની હતી. બાળકી દાહોદ તાલુકાના રામપુરા ગામના ડોબણ ફળિયામાં પોતાના પરિવાર સાથે રહેતી હતી. 20 ડિસેમ્બરના રોજ દીકરી મુખ્ય પ્રાથમિક શાળામાં ભણવા ગઈ હતી.

ત્યારે સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ શાળાએથી ઘરે જતી વખતે દીકરી સ્કૂલના મેઇન ગેટ પાસે ઉભી હતી. આ દરમિયાન શાળાનો મેન ગેટ અચાનક જ તૂટ્યો હતો અને જેના કારણે ત્યાં ઉભેલી અસ્મિતા લોખંડના ગેટની નીચે દબાઈ ગઈ હતી. આ ઘટનામાં તેના મોઢાના અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ અસ્મિતાને તાત્કાલિક સારવાર માટે દવાખાને લઈ જવામાં આવી હતી.

આ ઘટનાની જાણ થતા શિક્ષણ વિભાગના અગ્રણીઓ પણ દવાખાને દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દીકરીના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચવાના કારણે તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

દીકરીનું મૃત્યુ થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટના બન્યા બાદ શાળાના આચાર્યને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. દીકરીના મૃત્યુના કારણે પરિવારમાં માતમ સવાઈ ગયો છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દાહોદમાં 8 વર્ષની બાળકી સાથે શાળામાં કંઈક એવું બન્યું કે, બાળકીનું રિબાઈ રિબાઈને મોત…જાણો દીકરી સાથે એવું તો શું થયું હશે…"

Leave a comment

Your email address will not be published.


*