દાહોદમાં એક માતાએ પોતાના 2 બાળકોને કૂવામાં નાખીને આંબાના ઝાડ પર ગળેફાંસો ખાઈ લીધો – જાણો શું છે સમગ્ર ઘટના..

Published on: 12:13 pm, Wed, 13 April 22

દાહોદમાં બનેલી રૂવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. દાહોદ તાલુકાના ખરોદા ગામમાં રહેતી એક મહિલાએ અગમ્ય કારણોસર પોતાના બે સંતાનોને કૂવામાં ફેંકી પોતે ઝાડ પર ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા ચારેબાજુ અફરાતફરી મચી ગઇ હતી. ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

એક સાથે ત્રણ લોકોના મૃત્યુ થતા ગામમાં માતમ છવાઇ ગયો હતો. મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું તેને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર અરવિંદ દીપા ભાઈના લગ્ન 2008માં 33 વર્ષીય કાળી બેન સાથે થયા હતા. અરવિંદભાઈને પાંચ સંતાનો છે.

જેમાં સૌથી મોટી છોકરી રેખા, તેનાથી નાનો છોકરો વીજ, તેના પછીનો છોકરો વિશાલ અને તેના પછીના બે જોડીયા સંતાનો. જેમાં એકનું નામ આરતી અને એકનું નામ આર્યન. 10 તારીખ ના રોજ રાત્રે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ અરવિંદભાઈ એકલા તેમના જૂના ઘરે સુવા ગયા હતા.

જ્યારે નવા ઘરે અરવિંદભાઈના ભાઈ પ્રવીણભાઈ, અરવિંદભાઈના ભાભી હંસાબેન તેમના બાળકો, અરવિંદભાઈની પત્ની કાળી બેન અને પાંચ સંતાનો નવા ઘરે સૂતા હતા. 11 તારીખ ના રોજ સવારે સાત વાગ્યાની આસપાસ અરવિંદભાઈનો દીકરો આર્યને રડતો રડતો અરવિંદભાઈ પાસે પહોંચ્યો હતો. ત્યાં જઈને આવ્યો અને કહ્યું કે બાપા મને મારી મા પાસે લઈ જાવ.

તેથી અરવિંદભાઈ આર્યનને લઈને નવા ઘરે આવ્યા હતા. નવા ઘરે આવીને જોયું ત્યારે ઘરમાંથી અરવિંદભાઈ ની પત્ની કાળી બેન તથા પુત્ર વીજ અને પુત્રી આરતી જોવા ન મળ્યા. તેથી અરવિંદભાઈ બહાર આવીને વિશાલ ને પૂછ્યું કે તારી માતા ક્યાં છે? ત્યારે વિશાલે રડતાં રડતાં કહ્યું કે, પપ્પા પહેલા આંબા ઉપર લીલુ લીલુ કાંઈ લટકતું દેખાય છે. જેથી અરવિંદભાઈ આંબાના ઝાડ પાસે ગયા ત્યારે તેમની પત્ની આંબાના ઝાડ પર લટકતી જોવા મળી.

અને 20 એક ફૂટ દૂર આવેલા કુવામાંથી દીકરી આરતી અને પુત્ર વીજનું મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કાળી બેને આ પગલું કયા કારણોસર ભર્યું તેને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દાહોદમાં એક માતાએ પોતાના 2 બાળકોને કૂવામાં નાખીને આંબાના ઝાડ પર ગળેફાંસો ખાઈ લીધો – જાણો શું છે સમગ્ર ઘટના.."

Leave a comment

Your email address will not be published.


*