ચોટીલામાં 20 વર્ષના યુવાને ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો શા માટે ભર્યું યુવાને આ પગલું…

Published on: 10:34 am, Tue, 22 March 22

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં એક યુવાને ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. ચોટીલા તાલુકાના રણોસરા ગામે બસ સ્ટેશનમાં ચા અને પાનની દુકાન ચલાવતા યુવાને બેકારીથી કંટાળીને ઝેરી દવા પીને પોતાનું જીવન ટુંકાવ્યું છે. ઘટનાની જાણ થતાં મૃત્યુ પામેલા યુવાનના પરિવારજનો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસે મૃત્યુ પામેલા યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃત્યુ પામેલા યુવાનનું નામ અજયભાઈ નારાયણભાઈ સાબંડ(રબારી) હતું. અજયની ઉંમર 20 વર્ષની હતી. અજય છેલ્લા ત્રણેક મહિનાથી બસ સ્ટેશનમાં ચા અને પાનની દુકાન ચલાવતો હતો.

મળતી માહિતી અનુસાર અજયનો આ ધંધો બરાબર ચાલતો હતો. પોતાના ખર્ચા પણ નીકળતા ન હતા. બેકારીથી કંટાળીને અજય પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી જાય છે અને ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લે છે.

આ બનાવ બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા અજયના પિતા નારણ મોતીભાઈ સાબંડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત ચોટીલા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્યારબાદ અજયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ઉપરાંત ગામના લોકોમાં પણ શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. બેકારીથી કંટાળીને યુવાને ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ચોટીલામાં 20 વર્ષના યુવાને ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો શા માટે ભર્યું યુવાને આ પગલું…"

Leave a comment

Your email address will not be published.


*