બોટાદમાં 30 વર્ષના નવઘણભાઈ જોગરાણા નામના માલધારી યુવકનો ધારદાર વસ્તુ વડે જીવ લેવામાં આવ્યો, સમગ્ર ભરવાડ સમાજમાં માતમ છવાઈ ગયો…

Published on: 10:48 am, Sat, 4 February 23

ગુજરાત રાજ્યમાં જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે બોટાદમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. બોટાદ તાલુકામાં આવેલા ઢાંકણીયા ગામમાં ગઈકાલે રાત્રે 30 વર્ષના માલધારી યુવકનો ધારદાર વસ્તુઓ વડે જીવ લેવામાં આવ્યો હતો. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી.

પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જૂની અદાવતમાં ભરવાડ યુવાનનો જીવ લેવામાં આવ્યો છે. આ ઘટનામાં અન્ય બે વ્યક્તિઓ પણ ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે ભાવનગર તેમજ બોટાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર બોટાદના ઢાંકણીયા ગામે 30 વર્ષના નવધણભાઈ ઝાલાભાઇ જોગરાણા નામના વ્યક્તિનો જૂની અદાવતમાં જીવ લેવામાં આવ્યો હતો.

આ ઘટનામાં મુન જોગરાણા તેમજ તેજા જોગરાણા નામના યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે બે અલગ અલગ ટીમો બનાવીને આરોપીને ઝડપી પાડવાની કામગીરી શરૂ કરી દીધી છે.

આ ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. નવધણભાઈ ઝાલાભાઇ જોગરાણાનું મૃત્યુ થતાં સમગ્ર ભરવાડ સમાજમાં માતમ છવાઈ ગયો છે. રાત્રિના સમયે નવધણભાઈ પણ ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેમનો જીવ લેવામાં આવ્યો હતો.

નવઘણભાઈનો જીવ કયા કારણોસર લેવામાં આવ્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જૂની અદાવતના કારણે તેમનો જીવ લેવામાં આવ્યો છે. નવધણભાઈનું દર્દનાક મોત થતા પરિવારજનો અને સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બોટાદમાં 30 વર્ષના નવઘણભાઈ જોગરાણા નામના માલધારી યુવકનો ધારદાર વસ્તુ વડે જીવ લેવામાં આવ્યો, સમગ્ર ભરવાડ સમાજમાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*