ગાંધીનગરના બોરીજ ગામમાં જુના પ્રેમીએ નશાની હાલતમાં એક પરિણિત મહિલાનો જીવ લઈ લીધો – જાણો શું છે સમગ્ર ઘટના…

Published on: 5:23 pm, Sat, 26 March 22

સુરત હોય કે વડોદરા, અમદાવાદ હોય કે ગાંધીનગર ગુજરાતના શહેરોમાં હવે મહિલાઓ સુરક્ષિત રહી નથી તેવું લાગી રહ્યું છે. મહિલાની સુરક્ષા ઉપર ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે. સુરત શહેરમાં દીકરી ગ્રીષ્મા સાથે બનેલી ઘટના બાદ ગુનેગારો બેફામ બની ગયા છે, એવું લાગી રહ્યું છે. પ્રેમ સંબંધના મુદ્દે મહિલાઓનો જીવ લેવામાં આવી રહ્યો છે. ત્યારે વધુ એક તેવો જ બનાવ સામે આવ્યો છે.

આ બનાવ ગાંધીનગરના બોરજી ગામથી સામે આવ્યો છે. જુના પ્રેમીએ નશામાં એક પરિણિત મહિલાનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો છે. આ ઘટના ગઇકાલે મોડી રાત્રે બની હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

મળતી માહિતી અનુસાર ગામમાં કડિયા કામ કરવા આવતો વ્યક્તિ પરિણીત મહિલાનો એકલતાનો લાભ ઉઠાવીને ઘરમાં ઘૂસી ગયો હતો અને ગળું દબાવીને તેનો જીવ લઇ લીધો હતો. આ સમગ્ર ઘટનામાં પ્રણય ત્રિકોણ જવાબદાર હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. હાલમાં પોલીસે આરોપીને પકડી પાડવાની કામગીરી શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર ગાંધીનગરમાં બોરીજ ગામમાં ગઈકાલે નિકિતા ઠાકોર નામની પરિણીત મહિલા ઘરમાં એકલી હતી. તેમના પરિવારજનો મંદિરે ગયા હતા. એકલતાનો લાભ ઉઠાવી ને ગામમાં કડિયા કામ કરવા આવતો રાજુ નામનો યુવક નિકિતાના ઘરમાં ઘૂસી ગયો હતો. ત્યારબાદ રાજુએ નિકિતાનું ગળું દબાવીને તેનો જીવ લઇ લીધો હતો.

જ્યારે લગભગ રાત્રીના અગિયાર વાગ્યાની આસપાસ નિકિતાના જેઠ મંદિરેથી ઘરે આવ્યા હતા અને થોડા સમય પછી તેમની પત્ની પણ ઘરે આવી હતી. બંને પતિ-પત્ની પાણી પીને સૂઈ ગયા હતા. ત્યારે લગભગ મોડી રાત્રે ઘરના પાછલા દરવાજામાંથી એક વ્યક્તિ દોડીને ભાગવા લાગ્યો હતો.

ત્યારે નિકિતાના જેઠ એકદમ જાગી ગયા અને તેમને ભાગી રહેલા યુવકને પકડી પાડ્યો હતો. દારૂના નશામાં રહેલો અને કડિયા કામ કરતો યુવક રાજુ હોવાનું માલુમ પડ્યું હતું. આ દરમિયાન ઘરના અન્ય સભ્યો પણ ત્યાં પહોંચી આવ્યા હતા. ત્યારે રાજુ નિકિતાના જેઠને ધક્કો લગાવીને ત્યાંથી ભાગી જાય છે. ત્યારબાદ નાનોભાઈ ઘરમાં જઈને જુએ છે ત્યારે નિકિતાનું મૃતદેહ જોવા મળે છે.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. નિકિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસસૂત્રો અનુસાર પ્રણય ત્રિકોણના કારણે મહિલાનો જીવ લેવામાં આવ્યો છે તેવું અનુમાન છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગાંધીનગરના બોરીજ ગામમાં જુના પ્રેમીએ નશાની હાલતમાં એક પરિણિત મહિલાનો જીવ લઈ લીધો – જાણો શું છે સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*