રાજકોટના આટકોટમાં એક યુવકે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો શા માટે યુવકે આ પગલું ભર્યું…

Published on: 12:07 pm, Fri, 28 January 22

રાજકોટના આટકોટમાં એક યુવકે ઝેરી દવા પીને પોતાનું જીવન ટુંકાવ્યું છે. આ ઘટના બનતા જ આટકોટ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર આટકોટના કૈલાશ નગરમાં રહેતા નિલેશ અશોકભાઈ રોજાસરા નામના એક યુવકે ઝેરી દવા પીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

મૃત્યુ પામેલા યુવકની ઉંમર 23 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર યુવકે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા દવા પી લીધી હતી. ત્યારબાદ તેમને સારવાર માટે જસદણની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં તબીબોઓએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારના એક પુત્રના મૃત્યુના કારણે પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટનાની જાણ થતા આટકોટ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

અને સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, નીલેશે પોતાના મોટા બાપુ ની વાડી માં ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ સમગ્ર ઘટનાને લઇને નીલેશના પરિવારજનોએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી નિલેશ ગુમસુમ રહેતો હતો.

અને તેને અંતે આ પગલું ભર્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે યુવકે કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. મૃત્યુ પામેલા નીલેશના પિતરાઈ ભાઈનું પણ ચાર મહિના પહેલાં મૃત્યુ થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજકોટના આટકોટમાં એક યુવકે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો શા માટે યુવકે આ પગલું ભર્યું…"

Leave a comment

Your email address will not be published.


*