આણંદમાં એક ટ્રક ચાલકે બાઈક પર જઈ રહેલા વ્યક્તિને લગાવી ટક્કર, બાઈક ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ…

Published on: 9:47 am, Wed, 12 January 22

આણંદમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર પુરપાટ ઝડપે જતા એક ટ્રકે આણંદ શહેરના બોરસદ ચોકડી નજીક બાઈક સવારને ટક્કર લગાવી હતી. આ ઘટનામાં બાઈક સવારનું મૃત્યુ થયું છે.

મળતી માહિતી અનુસાર 58 વર્ષીય વિનુભાઈ શંકરભાઈ નાયક મંગળવારના રોજ સવારના આણંદ ખાતે નોકરી પર જવા નીકળ્યા હતા. મળતી માહિતી અનુસાર જ્યારે તેઓ બોરસદ ચોકડી પાસે પહોંચ્યા ત્યારે પાછળથી આવી રહેલા GJ 23 AT 3090 નંબરના ટ્રક ચાલકે બાઇક પર જઈ રહેલા વિનુભાઈને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

તેના કારણે વિનુભાઈ રોડ પર નીચે પડી ગયા હતા અને ત્યારબાદ ટ્રક વિનુભાઈ પરથી પસાર થઈ ગયો હતો. જેના કારણે વિનુભાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

ઘટના બનતા જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વિનુભાઈના મૃત્યુની જાણ પરિવારજનો અને ગામનાલોકોને થતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આખા ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર વિનુભાઈ આંકલાવના ખડોલ ગામના રહેવાસી હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આણંદમાં એક ટ્રક ચાલકે બાઈક પર જઈ રહેલા વ્યક્તિને લગાવી ટક્કર, બાઈક ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*