અમદાવાદમાં પત્ની બાળકો અને પતિની નજર સામે મંદિરના મહંત સાથે રૂમમાં…એક દિવસ પતિનો બાટલો ફાટ્યો અને કંઈક એવું કર્યું કે…

Published on: 10:43 am, Wed, 28 December 22

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે 14 ડિસેમ્બરના રોજ અમદાવાદના નારોલીના આકૃતિ ટાઉનશીપના એચ બ્લોકમાં રીન્કુ ઉર્ફે રિયા ભારદ્વાજ નામની મહિલાનું મૃતદેહ મળી આવ્યો તો ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે ઘરે બીજું કોઈ હાજર ન હતું. તેથી પોલીસને સૌથી પહેલી શંકા મહિલાના પતિ અજય ભારદ્વાજ પર થઈ હતી.

ત્યારબાદ પોલીસે આરોપી પતિને પકડી લીધો હતો અને પૂછપરછ દરમિયાન તેને પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. વિગતવાર વાત કરીએ તો નવ વર્ષ પહેલા રીન્કુ મામાના દીકરા અજય સાથે ઘરેથી ભાગી ગઈ હતી અને બંને અમદાવાદમાં આવીને રહેવા લાગ્યા હતા. જોત જોતા માં વર્ષો વીતી ગયા અને બંનેને બે બાળકો પણ થયા હતા.

મળતી માહિતી અનુસાર આ ઘટનાને લઈને જાણવા મળ્યું હતું કે, રીન્કુ એક મહંત સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલી હતી. હદ ત્યારે વટી ગઈ કે પતિ અને બાળકોની હાજરીમાં રીન્કુ મહંતને ઘરે બોલાવતી હતી. ત્યારબાદ પતિ અને બાળકોની નજરની સામે રીન્કુ મહંતની સાથે શારીરિક સંબંધ બાંધતી હતી. બસ પત્નીની આ વાતથી પતિનો મગજ હલી ગયો અને તેને આ બધાથી કંટાળીને પોતાના બાળકોની હાજરીમાં પત્નીનો જીવ લઇ લીધો હતો.

ત્યારબાદ ટ્રેનમાં બેસીને પોતાના વતન જવા માટે રવાના થઈ ગયો હતો. પરંતુ તે પહેલા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. હવે બંને બાળકો મા અને બાપ વગરના થઈ ગયા છે. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે, નજીકના મંદિરનો મહંત બાળકો અને પતિની હાજરીમાં ઘરે આવતો હતો. ત્યારબાદ બાળકોને અને પતિને ઘરની બહાર કાઢી મુકતા અને બંને એકબીજા સાથે રંગરેલીયા મનાવતા હતા.

સમગ્ર ઘટનાને લઈને આરોપી પતિએ પોલીસ પૂછપરછ માં જણાવ્યું કે, લગ્ન બાદ તેની પત્નીને પેટની કોઈ બીમારી હતી, જેથી તે પીપળાજના કોઈ મહંત પાસે ઈલાજ કરાવવા માટે જતી હતી. આ દરમિયાન પતિને રીન્કુ અને મહંતના અનૈતિક સંબંધોની જાણ થઈ હતી. જેનાથી કંટાળીને આરોપી પતિએ ઘટનાના પાંચ દિવસ પહેલા પત્નીનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો.

23 ડિસેમ્બરના રોજ રાત્રે જમ્યા બાદ પત્ની સૂઈ ગઈ હતી. મોડી રાત્રે 1.30 વાગ્યાની આસપાસ આરોપી પતિ અજય ઊંઘમાં જ પોતાની પત્ની નું ગળો દબાવીને તેનો જીવ લઈ લીધો હતો અને ત્યારબાદ પોતાના બંને બાળકો સાથે ટ્રેનમાં બેસીને પોતાના વતન જવા માટે રવાના થયો હતો. આરોપી અજય પોતાના વતન પહોંચે તે પહેલા પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમદાવાદમાં પત્ની બાળકો અને પતિની નજર સામે મંદિરના મહંત સાથે રૂમમાં…એક દિવસ પતિનો બાટલો ફાટ્યો અને કંઈક એવું કર્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*