શું અમદાવાદમાં પતિએ જ 2 બાળકો સહિત પત્ની અને વડસાસુનો જીવ લઇ લીધો હશે? ફરાર થયેલો પતિ ઝડપાયો…

Published on: 10:15 am, Thu, 31 March 22

અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. અમદાવાદના વિરાટનગરમાં એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ જ ઘરમાંથી મળી આવ્યા હતા. આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ સમગ્ર ઘટનાને ઘરનો મોભી વિનોદ મરાઠી પર આરોપી હોવાની આશંકાઓ છે. ઘટનાના 48 કલાકમાં પોલીસે ફરાર થઇ ગયેલા આરોપીને ઝડપી પાડયો છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી વિનોદને મધ્યપ્રદેશમાંથી ઝડપી પાડયો છે. પોલીસનું માનવું છે કે પ્રેમ પ્રકરણના કારણે આ સમગ્ર ઘટના સર્જાય હોઈ શકે છે.મળતી માહિતી અનુસાર વિરાટ નગર વિસ્તારમાં આવેલી દિવ્યપ્રભા સોસાયટીના મકાન નંબર 30 માંથી એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા.

પોલીસની આ ઘટનાની જાણ મંગળવારના રોજ રાત્રે થઈ હતી. ફરાર થઈ ગયેલા વિનોદ મરાઠીની શોધવા માટે પોલીસે બે ટીમ બનાવી હતી. એક્ટિંગ સ્થાનિક વિસ્તારમાં તપાસ કરતી હતી અને એક ટીમ વિનોદના મૂળ ગામ તપાસ કરતી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, મૃત્યુ પામેલી પત્ની સોનલનું કોઈ અન્ય વ્યક્તિ સાથે પ્રેમ પ્રકરણ પણ આ ઘટના પાછળનું મોટું કારણ હોઇ શકે છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કોલ ડિટેઇલ્સ ના આધારે ચાર લોકોની અટકાયત કરીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પૂછપરછ દરમિયાન ઘણા મોટા ખુલાસા થઈ શકે છે. મૃત્યુ પામેલી સોનલની માતાની પણ પુછપરછ થાય છે. સોનલની માતાએ પોલીસને ગોળ ગોળ જવાબ આપ્યા હતા. આ કારણોસર તેની માતા પણ શંકાના ઘેરામાં આવી ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "શું અમદાવાદમાં પતિએ જ 2 બાળકો સહિત પત્ની અને વડસાસુનો જીવ લઇ લીધો હશે? ફરાર થયેલો પતિ ઝડપાયો…"

Leave a comment

Your email address will not be published.


*