અમદાવાદમાં સાઇકલ લઈને ટ્યુશને જઈ રહેલા 11 વર્ષના બાળકને બાઈકચાલક લગાવી જબરદસ્ત ટક્કર, બાળકનું કરૂણ મૃત્યુ…

Published on: 4:23 pm, Sat, 9 April 22

છેલ્લા થોડા દિવસોથી ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ઘણી વખત અકસ્માતની ઘટનાઓમાં એક જણાની બેદરકારીના કારણે બીજા અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડયો હોય છે. ત્યારે હાલમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે.

આ અકસ્માતની ઘટનામાં એક બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ગંભીર અકસ્માતની ઘટના ગુજરાતમાં અમદાવાદના બાવળામાં બની છે. મળતી માહિતી મુજબ 2 એપ્રિલના રોજ કૃષ્ણદેવ સિંહ નામનો 11 વર્ષનો બાળક બપોરના સમયે પોતાની સાઇકલ લઇને ટ્યુશન જવા માટે નીકળ્યો હતો.

ત્યારે રસ્તામાં બાળકની સાયકલ અને એક બેકાબૂ બાઈકચાલકે જબરદસ્ત ટક્કર લગાવી હતી. જબરદસ્ત ટક્કરના કારણે કારણે કૃષ્ણસિંહ ફંગોળાઇને રોડ પર નીચે પડ્યું હતું. કૃષ્ણસિંહ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા.

લોકો ઈજાગ્રસ્ત થયેલા કૃષ્ણસિંહને સારવાર માટે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી કૃષ્ણસિંહ વધુ સારવાર માટે ભાવનગર લઈ જવામાં આવ્યો હતો. ભાવનગર સારવાર દરમિયાન કૃષ્ણનું મૃત્યુ થયું હતું. માત્ર 11 વર્ષના દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

અકસ્માતમાં કૃષ્ણનું મૃત્યુ થતાં એક જ ક્ષણમાં હસતા-ખેલતા પરિવારમાં માતમ છવાઇ ગયો છે. આખું પરિવાર વિચાર્યું હતું કે દીકરો ટ્યુશન જઈને પાછો આવશે. પરંતુ દીકરાના મૃત્યુના સમાચાર પરિવારજનોને મળ્યા હતા. કૃષ્ણનું મૃત્યુ થતાં તેમના પરિવારજનો અને આસપાસના રહેતા લોકોમાં માતમ છવાઈ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદમાં સાઇકલ લઈને ટ્યુશને જઈ રહેલા 11 વર્ષના બાળકને બાઈકચાલક લગાવી જબરદસ્ત ટક્કર, બાળકનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*