અમદાવાદમાં પાટીદાર યુવાને સુસાઇડ નોટ લખીને પોતાનું જીવન ટૂંકાવ્યું, સુસાઇડ નોટમાં એવી એવી વાત લખી કે… સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે…

Published on: 7:13 pm, Fri, 3 February 23

અમદાવાદ શહેરમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરમાં રહેતા એક યુવકે દુકાનમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ મૃતક યુવકના પરિવારજનો અને પોલીસની ટીમ દોડતી થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર યોગ્ય સુસાઇડ કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી અને પછી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસ સુસાઇડ નોટ ના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો અમદાવાદ શહેરના ઠક્કર નગરમાં રહેતા અરવિંદભાઈ વેકરીયા પોતાની પત્ની અને દીકરા સાથે રહે છે. અરવિંદભાઈ હવે નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. ગત 27 જાન્યુઆરીના રોજ સવારના સમયે અરવિંદભાઈનો દીકરો સુભાષ નિકોલ વિસ્તારમાં આવેલી દુકાન પર ગયો હતો. બપોરે 2:00 વાગ્યાની આસપાસ તે ઘરે જમવા આવ્યો હતો અને તરત જ દુકાને ચાલ્યો ગયો હતો.

પછી મોડી સાંજ થઈ ગઈ છતાં. પણ સુભાષ ઘરે આવ્યો નહીં એટલે અરવિંદભાઈ પોતાના દીકરા સુભાષને ફોન કર્યો હતો. પરંતુ તે ફોન ઉપાડતો ન હતો. જેથી અરવિંદભાઈ આ વાતની જાણ તેમના નાના ભાઈ તથા અન્ય સંબંધીઓને કરી હતી. પછી રાત્રિના સમયે અરવિંદભાઈ સુભાષ ની દુકાન માં કામ કરતા યુવકને ફોન કરીને કહ્યું હતું કે, સુભાષ ફોન ઉપાડતો નથી તેનો ફોન દુકાનમાં આવતો નથી રહી ગયો ને.

તારી પાસે બીજી દુકાનની ચાવી છે તે લઈને દુકાને આવ હું દુકાને આવવા નીકળું છું. ત્યારબાદ અરવિંદભાઈ અને દુકાનમાં કામ કરતો યુવક દુકાને પહોંચ્યા હતા. ત્યારબાદ ત્યાં તેઓ લોકોએ દુકાનનું અડધું શટર ખોલીને જોયું અને પછી શટર બંધ કરીને અરવિંદભાઈ પોતાના ઘરે જતા રહ્યા હતા. રાત્રિના સમયે અરવિંદભાઈ ના ભાઈ તેમને જણાવ્યું હતું કે તમારા દીકરા સુભાષે દુકાનમાં સીલીંગ ફેનના બુક પર ગળાફાંસો ખાઈ લીધો છે.

સુભાષના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં સુભાષે લખ્યું હતું કે, મારા સાસરિયાંઓથી કંટાળી ગયો હોવાથી આ પગલું ભરું છું, મારી ફેમિલીમાં કોઈ પ્રોબ્લેમ નથી અને પોલીસ મિત્રોને જણાવું છું કે, મારા કોઈ ફેમિલીને હેરાન કરવા નહીં. આઇ લવ યુ મમ્મી પપ્પા બહેન… મમ્મી પપ્પા મારું તમારું એટલું જ લખ્યું હતું અને હવે ચિંતા ન કરતા. તમે એમાં જ સમજજો તમારો છોકરો ફોરેન છે અને બધો હિસાબ પહેલી બેગમાં ડાયરી છે એમાં લખ્યો છે. ડાયરીમાં ન ખબર પડે તો જયેશભાઈ ને કેજો. આઇ લવ યુ જયેશભાઈ. સોરી બધા ફ્રેન્ડ અને બધા ફેમિલી બાય બાય મારાથી બીજી કંઈ ભૂલ થઈ હોય તો માફ કરી દેજો.

પોલીસે સમગ્ર ઘટનાને લઈને સુસાઇડ નોટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા સુભાષ ની પત્નીનું નામ પિનલ છે અને પિનલ તેની માતા-પિતાની ચઢામણી ના કારણે સાસરે કોઈની સાથે વાત કરતી ન હતી અને કોઈ પણ પ્રસંગમાં પણ આવતી ન હતી. સુભાષ અને પિનલ ના લગ્ન છ મહિના પહેલા થયા હતા. લગ્નના છ મહિના બાદ તે પરિવારજનો સાથે સરખી રીતે રહેતી ન હતી. એટલું જ નહિ પરંતુ પિનલ અવારનવાર પિયરમાં જતી રહેતી હતી. 29 જાન્યુઆરીના રોજ સમાધાન કરવાનું હતું. પરંતુ 27 જાન્યુઆરીના રોજ સુભાષે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમદાવાદમાં પાટીદાર યુવાને સુસાઇડ નોટ લખીને પોતાનું જીવન ટૂંકાવ્યું, સુસાઇડ નોટમાં એવી એવી વાત લખી કે… સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે…"

Leave a comment

Your email address will not be published.


*