લગ્ન કરવાની ભારે ઉતાવળ, લગ્નના 24 કલાક બાદ દુલ્હને કર્યું એવું કે, વરરાજો ઠન ઠન ગોપાલ થઈ ગયો…

Published on: 4:02 pm, Mon, 18 April 22

આજનો જમાનો ક્યાં પહોંચશે, એવી કોઇ જાણ નથી, ત્યારે આપણી સમક્ષ અવનવા કિસ્સાઓ સામે આવતા હોય છે. જે ચોકાવનારી ઘટનાઓ પણ ગણી શકાય, ત્યારે અમુક લોકો તો આવી વાતોથી ચકિત થઇ જતા હોય છે. એવો જ એક કિસ્સો જયપુરના દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આવ્યો છે. રૂપચંદ નામનો એક વ્યક્તિ કે જે જયપુરમાં આવેલા પોલીસ સ્ટેશન વિસ્તાર માં રહેતો હતો અને તે એકલો જીવી રહ્યો હતો.

અને એવું પણ જાણવા મળ્યું છે કે તેનું જીવન ખૂબ જ સરસ હતું ત્યારે તેના એક મિત્રે રૂપચંદને લગ્નની લાલચ આપી અને કહ્યું કે મારી નજરમાં એક છોકરી છે.તે આખા પરિવારની જવાબદારીઓ સંભાળી લેશે તો તમે તેમની સાથે લગ્ન કરી લો ત્યારે ભોળો રૂપચંદ એની મિત્રની વાત માં આવીને લગ્ન કરવાનું વિચાર્યું અને એ બધી વાત રૂપચંદએ તેનાં પરિવારમાં પણ જાણકારી.

પરિવારના લોકોએ રૂપચંદ ને લગ્નની હા પાડી. ત્યારબાદ 4 માર્ચ 2020 ના રોજ નો પરિવાર અજમેર ગયો અને રૂપચંદ ના એક પૂજા નામની યુવતી સાથે લગ્ન કર્યા અને પૂજા ને લઈને પરત જયપુર આવ્યા, ત્યારે સમગ્ર પરિવારનો માહોલ ખૂબ જ ખુશ ખુશાલ હતો ત્યારે નવ પરણિત આવેલી આ પૂજા તે 24 કલાક માં તેનો રંગ બતાવી દીધો..

આ દુલ્હન 24 કલાક પણ ઘરે ના રહીશ બજારમાં જાઉં છું એમ કહીને ઘરેથી નીકળી ત્યારબાદ ઘણો સમય થયો પરંતુ તે ઘરે પરત ન આવે ત્યારે તેના પતિ દ્વારા એ યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે લાખો રૂપિયા અને દાગીના લઇને પૂજા નાસી છૂટી છે.

ત્યારે રૂપચંદ ને વિચાર આવ્યો કે તેણે મારી સાથે છેતરપિંડી કરી છે અને તરત જ તે પોલીસ સ્ટેશન તેને મદદ માગવા પહોંચ્યા. ત્યારે સમગ્ર બાબત વિશે પોલીસને ચંદી જાણકારી આપી ત્યારે એ યુવતી વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો અને પોલીસ દ્વારા એ યુવતીની શોધખોળ હાથ ધરવામાં આવી ત્યારે પોલીસને જાણવા મળ્યું છે કે આ મહીલા દ્રારા એ પહેલા કેટલાય લોકો સાથે આવી રીતે છેતરપિંડી કરી છે.

ત્યારે તેના વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. તેની સાથે-સાથે બીજા આરોપીઓની પણ શોધખોળ હાથ ધરી. ત્યારે કહેતાં જણાવીશ તો આજે આવી રીતે કેટલાય લોકો છેતરે જતા હોય છે અને કોઈપણ લાલચમાં આવીને કઈ પણ કરી બેસે છે. ત્યારે આવી છેતરપિંડીથી દૂર રહેવું જોઈએ અને કોઈપણ ની વાતો માં તરત જ આવવું ન જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્ન કરવાની ભારે ઉતાવળ, લગ્નના 24 કલાક બાદ દુલ્હને કર્યું એવું કે, વરરાજો ઠન ઠન ગોપાલ થઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*