ગુજરાત રાજ્યમાં દારૂ ની પરમિશન અંગે મુખ્યમંત્રી રૂપાણીએ આપ્યું મહત્વ નિવેદન.

Published on: 3:44 pm, Tue, 12 January 21

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આડે પાંચ વર્ષ માટે પ્રવાસનનીતિની જાહેરાત કરી હતી જવાબ ગણિત પસ્તાવો કરી હતી ત્યારે તેમને લિકર મામલે પણ નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રી રૂપાણી નવી પ્રવાસન પોલીસીની જાહેરાત કરી હતી.5 વર્ષની પ્રવાસન પોલિસી કરી જાહેર કરવામાં આવી છે.

1 જાન્યુઆરી 2021 થી 31 માર્ચ 2025 સુધી પોલિસી જાહેર કરી હતી જેમાં ઘણા મહત્વના મુદ્દે મુખ્યમંત્રી રૂપાણી એ સ્પષ્ટતાઓ કરી હતી.દારૂને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી નું નિવેદન સામે આવ્યો છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, નબી પ્રવાસન પોલીસી માં લીકર ને ઢીલ આપવામાં નહિ આવે. વિદેશ પ્રવાસીઓને એરપોર્ટ થી જ લીકર મળી રહે છે એટલે એવી કોઈ વ્યવસ્થા કરવાની જરૂર નથી.

મુખ્યમંત્રી રૂપાણી નવી પ્રવાસન નીતિ જાહેર કરતા જણાવ્યું હતું કે, પ્રવાસન પોલિસીને પ્રોત્સાહન આપવા થી પ્રવાસીઓ વધતા રાજ્યનો વિકાસ દર વધશે. પ્રવાસીઓ તાજમહેલ કરતા SOU ની વધુ મુલાકાત લે છે.

ગિરનાર રોપ વે,સી પ્લેન, હેરિટેજ ને પ્રોત્સાહન આપવામાં આવશે. જૂની પોલિસીમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. દ્વારકા પાસે શિવરાજપુર વિકસીત કરાશે અને વોટરપાર્ક, થીમ પાર્ક પ્રોત્સાહિત કરવામાં આવશે.

મુખ્યમંત્રી રૂપાણી વધુમાં જણાવ્યું હતું કે, વેલનેસ રિસોર્ટ પર 15 ટકા સબસીડી આપવામાં આવશે.500 કરોડથી વધુ રોકાણ કરે તેને 15 ટકા સહાય મળશે એટલું જ નહીં પણ 500 કરોડથી વધુ રોકાણ કરનારને જમીન લીઝ પર અપાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યમાં દારૂ ની પરમિશન અંગે મુખ્યમંત્રી રૂપાણીએ આપ્યું મહત્વ નિવેદન."

Leave a comment

Your email address will not be published.


*