જન ધન ખાતા ધારકો માટે મહત્વના સમાચાર : ખાતાની સાથે નથી કર્યું આ કામ તો થઈ શકે છે લાખો રૂપિયાનું નુકસાન…

Published on: 10:26 am, Sat, 17 July 21

જન ધન ખાતા ધારકો માટે મહત્વના સમાચાર જો તમે જનધન ખાતુ ખોલાવવું છે તો તમારા એકાઉન્ટને આધાર સાથે લિંક કરાવી લ્યો નહીંતર તમને થશે મોટું નુકસાન. જો તમે એકાઉન્ટને આધાર સાથે લિંક નહિ કરાવો તો તમને મળનાર અનેક સુવિધાઓને રોકી લેવામાં આવશે.

આ સાથે બેંક ખાતુ ઝીરો બેલેન્સ ખાતા હોય છે. ઉપરાંત તમને જન ધન ખાતા માં ઓવરડ્રાફ અને રૂપ કાર્ડ સહિતની સેવાઓ આપવામાં આવે છે. સરકાર દ્વારા ખોલવામાં આવી રહેલા આ એકાઉન્ટમાં ગ્રાહકોને અનેક સુવિધાઓ મળે છે. જો તમારું આધાર આ ખાતા સાથે લિંક ન હોય તો તમને ઘણું નુકસાન થઈ શકે છે.

આ ખાતાધારક ને 1 લાખ રૂપિયા નો એકસીડન્ટ INSURANCE મળે છે. આ ઉપરાંત તમને 30000 રૂપિયા નો એકસીડન્ટલ ડેથ INSURANCE મળશે. જો તમારું એકાઉન્ટને આધારથી લીંક નહીં કરાવો તો તમને આ બેનિફિટ્ નહીં મળે.

તો આધાર લિંક ન કરાવ્યું હોય તો હમણાં જ લિંક કરાવો. લિંક કરવા માટે સૌ પ્રથમ તમારે આ વસ્તુ કરવી પડશે.

1. બેંકમાં જાવ
તમારું એકાઉન્ટ છે બેંકમાં છે તે બેંકમાં જઈને આધાર સાથે લિંક કરાવી શકો છો. બેંકમાં તમારે આધારકાર્ડની ફોટોકોપી અને પાસબુક લઈને જવું પડશે એટલે તમારું કામ શરૂ થઈ જશે.

2. SMS ની મદદથી
આ ઉપરાંત તમે બેંક મેસેજ ની મદદથી ખાતાધારકોને આધાર સાથે લિંક કરી શકો છો. એસબીઆઇના ગ્રાહકોને પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર થી મેસેજ બોક્સ માં જઈને UID<SPACE> આધાર નંબર <SPACE> ખાતા નંબર લખીને 567676 આ નંબર પર મેસેજ મોકલવાનો રહેશે.

3. ATM ની મદદથી
તમારા ખાતાને આધાર સાથે લિંક કરાવવા માટે તમે ATM નો પણ ઉપયોગ કરી શકો છો. જો તમારો આધાર અને બેંકમાં આપેલી જાણકારીઓ અલગ અલગ હશે તો તે ખાતું લિન્ક થશે નહીં તેનાથી તમને નુકસાન થઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "જન ધન ખાતા ધારકો માટે મહત્વના સમાચાર : ખાતાની સાથે નથી કર્યું આ કામ તો થઈ શકે છે લાખો રૂપિયાનું નુકસાન…"

Leave a comment

Your email address will not be published.


*