ગુજરાતીઓ માટે મહત્વના સમાચાર, રાત્રી કર્ફ્યુ ને લઈને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા આપ્યું મહત્વનું નિવેદન.

Khabarchhe.com
Published on: 3:35 pm, Mon, 10 May 21

રાજ્યમાં વાયરસનું સંક્રમણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે ત્યારે હવે કરફ્યુ ના સમયમાં ફેરબદલ ને લઈને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મહત્વનું નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણી બાદ વાયરસ ના કેસ માં ચિંતાજનક ઉછાળો આવ્યો હતો.

તો રાજ્યની મોટાભાગની હોસ્પિટલો માં વાયરસથી સંક્રમિત દર્દીઓ પણ વધ્યા હતા. આ પરિસ્થિતિને ઘ્યાનમાં રાખીને રાજય સરકાર દ્વારા રાત્રિના સમયમાં ફેરફાર કરવામાં આવેલ હતો.

ધીમે ધીમે રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો હતો. ત્યારે હવે મહામારી ના સંકટ ઓસરતા રાત્રી કરફ્યુ ના સમયમાં ફેરબદલ કરવા ના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સંકેત આપ્યા છે.

પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,રાત્રી કરફ્યુ ના સમયમાં ફેરફાર કરવો કે નહીં તે હવે નક્કી કરવામાં આવશે.

આ સાથે તેમને કહ્યું કે વેપાર ઉદ્યોગ માં બાંધછોડ કરવી તે પણ હવે નક્કી કરાશે. તેમણે એમ પણ જણાવ્યું કે, અવધિ પૂર્ણ થયા બાદ જે તે તાલુકામાં સ્થિતિ જોઈને નિર્ણય લેવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતીઓ માટે મહત્વના સમાચાર, રાત્રી કર્ફ્યુ ને લઈને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા આપ્યું મહત્વનું નિવેદન."

Leave a comment

Your email address will not be published.


*