ગુજરાત રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર : વીજળી મૂર્દે સૌરભ પટેલ નું મોટું નિવેદન.

Published on: 9:47 pm, Sat, 20 March 21

સૌરભ પટેલે જણાવ્યું કે ને વર્ષ ના ટૂંકા સમયગાળામાં દેશના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળશે અને આ માટે સરકાર દ્વારા ₹3500 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવશે.ઉર્જા મંત્રી સૌરભ પટેલ નું વીજળી ને લઈને મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

તેઓએ જણાવ્યું કે બે વર્ષમાં તમામ ખેડૂતોને દિવસે વીજળી મળશે.આ માટે સરકાર દ્વારા 3500 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવશે તથા આગામી સમયમાં રાજ્યમાં 20 હજાર મેગાવોટ પરંપરાગત વીજ ઉત્પાદન પણ કરવામાં આવશે.

વિધાનસભા માં વીજ ખરીદી મુર્દે પણ સૌરભ પટેલે નિવેદન કર્યું હતું.મંત્રી સૌરભ પટેલે કહ્યુ કે,કોંગ્રેસ માત્ર 4 ઉદ્યોગપતિ ને લઈને જ આક્ષેપ કરે છે.બજાર માં સસ્તી વીજળી મળતા સરકાર માં યુનિટ બંધ છે.

અને બજારમાંથી પણ સરકાર ઉત્પાદકો પાસેથી 3.8 ના દરે વીજળી ખરીદે છે.ગુજરાત 32,980 યુનિટ વીજળી ખરીદે છે.2022 માં કિસાન સૂર્યોદય યોજના પૂર્ણ થશે અને આ યોજના પૂર્ણ થવાની સાથે કોંગ્રેસ પણ પૂર્ણ થશે.

આ સાથે તેઓએ દેશના ફૂલ CNG સ્ટેશન ને લઇને પણ નિવેદન આપ્યું હતું.તેઓએ કહ્યુ કે દેશ ના ફૂલ CNG સ્ટેશનો પૈકી 28 ટકા મથકો માત્ર ગુજરાત માં છે.

સૌરભ પટેલના વીજળીને લઈને નિવેદન કરતા ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર ગણી શકાય છે. રાજ્ય સરકારની મહત્વની યોજના કિસાન સહાય યોજના હેઠળ ખેડૂતોને દિવસે પણ વીજળી મળશે અને આપને જણાવી દઇએ કે આ પ્રોજેક્ટ 2022માં પૂર્ણ થવાનો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર : વીજળી મૂર્દે સૌરભ પટેલ નું મોટું નિવેદન."

Leave a comment

Your email address will not be published.


*