ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને આવ્યા મહત્વના સમાચાર, રથયાત્રા યોજાવા મામલે સરકારે જાહેર કર્યો પોતાનો અંતિમ નિર્ણય…

Published on: 3:37 pm, Thu, 8 July 21

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે કે નહીં તેને લઈને કોઈપણ નિર્ણય લેવાયો ન હતો. પરંતુ આજરોજ રૂપાણી સરકારે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવા પર આખરી મહોર લગાવી દીધી. ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠક બાદ આખરે કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને અને કોરોનાના તમામ નિયમોનું પાલન કરીને અમદાવાદમાં રથયાત્રા ની મંજૂરી આપવામાં આવી છે.

આ સમાચાર મળતા જ અમદાવાદવાસીમાં ખુશીની લહેર જોવા મળી છે. ગયા વર્ષે સમગ્ર દેશમાં લોકડાઉન ના કારણે ભગવાન જગન્નાથની રથયાત્રા રદ થયા હતી.

ઉપરાંત ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રથયાત્રા યોજવામાં આ મામલે મોટું નિવેદન આપ્યું. રથયાત્રા દરમ્યાન પ્રસાદ વિતરણ બંધ રહેશે. જે રૂટ પરથી રથયાત્રા નીકળવાની છે ત્યાં કર્ફ્યુ રહેશે.

ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ પણ રથયાત્રામાં મંગળા આરતીમાં હાજર રહેશે. ભક્તો ને ઘરે બેઠા જ દર્શન કરવાના રહેશે. પહિંદ વિધિ બાદ કોરોના નિયમ સાથે રથયાત્રા નીકળશે. ઉપરાંત જ્યાં સુધી રથયાત્રા પર તને આવે ત્યાં સુધી તે રૂટ પર કરફ્યૂ રહેશે.

સવારના 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. 4 થી 5 કલાક માં રથયાત્રા પૂર્ણ થવાની સંભાવના છે. રથયાત્રામાં 3 રથ અને 5 વાહનને મંજૂરી આપી છે. ઉપરાંત ૪૮ કલાક પહેલા જ રથના ખલાસીઓના RTPCTR ટેસ્ટ કરાશે. પહિંદવિધિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહેશે.

ઉપરાંત રથયાત્રામાં ગજરાજ, ટ્રક અને અખાડાઓ ને મંજૂરી નથી અપાઈ. ઉપરાંત જે લોકો રથયાત્રામાં જોડાશે તેઓને ફરજિયાત માસ અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવું પડશે. અમદાવાદ થી બહાર ના ભક્તો ને રથયાત્રામાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.

ઉપરાંત રથયાત્રા કોઈપણ જગ્યાએ રોકી શકાશે નહીં. કોરોના નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત કોઈ પણ નગરજનોને દર્શન કરવા માટે રોડ પર આવવાનું નથી તમામ લોકોને ન્યૂઝ ચેનલના માધ્યમથી દર્શન કરવાના છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને આવ્યા મહત્વના સમાચાર, રથયાત્રા યોજાવા મામલે સરકારે જાહેર કર્યો પોતાનો અંતિમ નિર્ણય…"

Leave a comment

Your email address will not be published.


*