અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને આવ્યા મહત્વના સમાચાર, જાણો વિગતો.

Published on: 3:11 pm, Wed, 16 June 21

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા એક તહેવાર તરીકે યોજવામાં આવે છે. તેઓમાં અમદાવાદમાં જળયાત્રા અને રથયાત્રાની મંદિરોમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પરંપરા મુજબ 18 ગજરાજ પણ જળયાત્રા માં હાજર રહેશે. ગજરાજની અન્ય રાજ્યના આ મંદિરોમાંથી આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મંદિરના મુખ્ય ગજરાજ ભુદર નદીના આરે જળયાત્રા માં રહેશે.

આ ઉપરાંત મંદિર દ્વારા નગર નાથ વાઘ બનાવવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત રજવાડી વેશના વાઘા બનાવવાનો ઓર્ડર આપ્યો છે. આ ઉપરાંત આ વાઘ બનાવવા માટે વૃંદાવન અને મથુરાથી કપડા મંગાવ્યા છે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથની આ 144મી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત રથયાત્રાના રૂટ પર રોડ પર પડેલા ખાડાઓ તંત્ર દ્વારા સરખા કરવાનું કામગીરી શરૂ કરી દીધી છે.

આ ઉપરાંત અમદાવાદમાં રથયાત્રા નીકળે કે ન નીકળે પરંતુ અખાડાના ખેલાડીઓએ તો પોતાની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. અખાડામાં યુવાનો ત્રણ કલાકથી વધુ કસરત કરી રહ્યા છે. રથયાત્રામાં સૌથી વધુ મહત્વ અખાડાનું હોય છે. કોરોના ના કારણે અખાડાના યુવકો પોતાની રોજગારી અને ધંધા ગુમાવી દીધા છે.

લોકોનું કહેવું છે કે રથયાત્રામાં ભલે અખાડા ની પરમિશન ન મળે પરંતુ ભગવાનની રથયાત્રા નીકળવી જોઈએ જો રથયાત્રા યોજાશે તો કોરોના ની તમામ નિયમોનું પાલન કરીને આ રથયાત્રા યોજવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને આવ્યા મહત્વના સમાચાર, જાણો વિગતો."

Leave a comment

Your email address will not be published.


*