કાગવડ ખોડલધામ ખાતે મળી પાટીદાર સમાજની મહત્વપૂર્ણ બેઠક, જાણો શું કરાઈ મોટી જાહેરાત?

Published on: 9:40 am, Mon, 1 November 21

કાગવડ ખાતે ખોડલધામ પાટીદાર સમાજના આગેવાનોની એક તાકીદની બેઠક મળી હતી. ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં 28 જિલ્લાના કન્વીનરોની વરણી કરવામાં આવી હતી. અમદાવાદ શહેર જિલ્લાના કન્વીનર

તરીકે લેવા પટેલ સમાજ ના આગેવાન અને જાણીતા ઉદ્યોગપતિ સુરેશભાઈ પટેલની વરણી થઈ હતી. સુરત શહેરનો હવાલો યુવા આગેવાન ધાર્મિક માલવિયાને સોંપવામાં આવ્યો હતો.જ્યારે અમદાવાદ શહેર જિલ્લાના સહ કન્વીનર તરીકે નરસિંહભાઈ કાનાણી નિયુક્તિ કરવામાં આવી છે.

મહિલા કન્વીનર હવાલો સોનલબેન પટેલને સોપાયો છે. પ્રમુખ નરેશભાઇ પટેલે તમામ આગેવાનોને સમાજના ઉત્થાન માટે આગળ આવવા હાકલ કરી હતી.ગુજરાત કોંગ્રેસના નવા નેતૃત્વને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.પ્રભારી રઘુ શર્મા ના નવા નેતૃત્વ આ અંગે સ્પષ્ટ નિવેદન આપ્યું છે.

ગુજરાતમાં યોજનારી ચિંતન શિબિર પહેલા નવું નેતૃત્વ નક્કી થશે તેમ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું. તેમને જાહેરાત કરી છે કે ચિતિંન શિબિર નવા નેતૃત્વ સાથે યોજાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કાગવડ ખોડલધામ ખાતે મળી પાટીદાર સમાજની મહત્વપૂર્ણ બેઠક, જાણો શું કરાઈ મોટી જાહેરાત?"

Leave a comment

Your email address will not be published.


*