મહામારી ના સમય વચ્ચે સુરત શહેર ને લઈને લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો સુરતવાસીઓ.

Published on: 12:04 pm, Fri, 28 May 21

સુરત શહેરને લઈને એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરત શહેરમા એક ઝોનનો વધારો થવા જઈ રહ્યો છે. સુરતના ઉધના ઝોન મા બે ભાગ કરવામાં આવશે જ્યારે તલંગપુરમાં કચેરી બનશે. ઉધના ઝોનમાં 15 લાખની વસ્તી ઉપરાંત 90 ચો.કિમી નું શેત્રફળ થતા નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરતમા નવો ઝોન ઉધના બી ઝોન તરીકે ઓળખવામાં આવશે. સુરતમાં નવા ઝોન માં સચિન, કનકપૂર, કનસાડ, પાલી, તલંગપુર, ઉબેર, ઉન, જીયાવ, બુડિયા, ગભેનિ અને સોનારી નો સમાવેશ થાય છે.

સુરત માં વહીવટી સરળતા માટે ઝોન નો ભાગ કરવામાં આવશે. સુરત શહેર માં હાલ 8 ઝોન રહેલા છે જયારે હવે 9 મો ઝોન બનશે. સુરત માં આ પહેલા વરાછા ઝોન ના બે ભાગ કરાયા હતા.

તલંગપુર ગામની ગ્રામ પંચાયત ઓફિસ પાછળ ઉધના ઝોન બી ની નવી ઓફિસ બનાવવા માટે શાસકો દ્વારા વિચાર કરવામાં આવી રહો છે.

ગ્રામ પંચાયત ની ઓફીસ ના કેમ્પસ માં મોટી જગ્યા હોય આ જગ્યા માટે વિચારણા કરાઇ રહી છે.તેમજ અહી આજુબાજુના ગામના લોકોને પણ કોઈ કામગીરી માટે આવવા જવા માટે સગવગતા મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મહામારી ના સમય વચ્ચે સુરત શહેર ને લઈને લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો સુરતવાસીઓ."

Leave a comment

Your email address will not be published.


*