સુરત કોર્પોરેશન દ્વારા નાગરિકો માટે મહત્વનો નિર્ણય લેવાયો, જાણો વિગતે.

Published on: 2:45 pm, Mon, 14 June 21

ગુજરાતમાં કોરોનાની મહામારી ની બીજી લહેર ધીમે ધીમે ઓછી થાય છે અને કોરોનાના પ્રતિબંધો પર પણ છૂટ આપવામાં આવી રહી છે. તેવામાં સુરત મૂનસીપાલટી કોર્પોરેશન દ્વારા સુરતમાં સીટી બસની સેવા ફરીથી શરૂ કરી. સુરતમાં કોરોના નું સંક્રમણ ઓછું થતાં એસ.એમ.સી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરતમાં સિટી બસના વધુ ચાર રૂટ ફરીથી શરૂ કરાયા. જેમાં ડીંડોલી રોડ, ખજોદ રોડ, પાંડેસરા રોડ, એરપોર્ટ રોડ આ તમામ વિસ્તારોમાં કોરોના નું સંક્રમણ ઓછું થતા મહાનગરપાલિકા દ્વારા બસના રૂટ નક્કી કરાયા છે.

આ ઉપરાંત ગુજરાતમાં અમદાવાદ શહેરમાં પણ અમદાવાદ મ્યુનિસિપાલટી કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં AMTS અને BRTS બસને ફરીથી શરૂ કરી દેવામાં આવી છે.

આજે અમદાવાદ શહેરમાં 575 AMTS બસ અને 250 BRTS બસ દોડતી થવા જઈ રહી છે. કોરોના સંક્રમણના કારણે અમદાવાદમાં તમામ બસો બંધ કરી દેવામાં આવી હતી પરંતુ હવે 50 ટકા મુસાફરીની કેપીસીટિ સાથે આ બસ ફરીથી શરૂ કરી.

આ ઉપરાંત રાજ્ય સરકારે કહ્યું કે રાજ્યમાં ભલે કોરોના નું પ્રમાણ ઘટી રહ્યું છે પરંતુ હજુ ખતરો ગયો નથી અને લોકોની સલામતી અને સાવચેતી ને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા આ તમામ નિર્ણયો લેવાયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરત કોર્પોરેશન દ્વારા નાગરિકો માટે મહત્વનો નિર્ણય લેવાયો, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*