જો તમને ક્યારેય પણ આ 5 સંકેતો દેખાય તો સમજી જવાનું કે, તમારા પર લક્ષ્મી માતાના આશીર્વાદ વરસવાના છે…

Published on: 3:38 pm, Sat, 2 April 22

શું તમને પણ આ સંકેતો જણાયા છે? જો હા, તો તમારા પર પણ મા લક્ષ્મીની કૃપા બની રહેશે…

હિન્દુ ધર્મમાં દરેક દેવી-દેવતાઓની વિધિવત પૂજા કરવામાં આવે છે. લોકો ભગવાન માટે ખુબ જ આસ્થા દાખવે છે. એમાં પણ વાત કરીએ ધનની દેવી લક્ષ્મીની તો જેના પર મા લક્ષ્મી પ્રસન્ન થાય છે તેની જિંદગીમાં ક્યારેય દુઃખ આવતું નથી.

લોકો હંમેશા દેવી લક્ષ્મીને પ્રાર્થના કરતા હોય છે કે, તેઓને જીવનમાં ક્યારેય પૈસાની કમી ન રહે અને તેમનું ઘર હંમેશા ધનથી ભરેલું રહે, દેવી લક્ષ્મી હરકોઈ થી પ્રભાવિત થતા નથી પરંતુ જો કોઈ વ્યક્તિ થી પ્રભાવિત થઈ જાય તો તેનું નસીબ ખુલી અવશ્ય જાય છે. આ માટે જ હિન્દુ ધર્મમાં કેટલાક સંકેતો વિશે વાત કરવામાં આવી છે. જો તમને પણ તમારા ઘરમાં આ પ્રકારના સંકેતો જણાય તો તમારા પર પણ માતા લક્ષ્મીની કૃપા વરસી શકે છે.

શેરડી:- કહેવાય છે કે સિદ્ધિવિનાયક પર શેરડીનો રસ ચડાવવામાં આવે તો માતા લક્ષ્મીની અસીમ કૃપા બની રહે છે. સવારે ઘરેથી બહાર નીકળીને જો તમને શેરડી દેખાય તો ધન મળવાની સંભાવના રહેલી છે.

શંખ:- હિન્દુ ધર્મમાં શંખને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે,અને દરેક પૂજા વિધિમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે સવારે ઉઠતી વખતે જો તમે શંખ નો અવાજ સાંભળો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ઘુવડ:- ઘુવડને માતા લક્ષ્મીનું વાહન કહેવામાં આવે છે આ જ કારણ છે કે જો તમને તમારા ઘરની આસપાસ ઘુવડ દેખાય તો તમારા ઘરમાં જલ્દી મા લક્ષ્મીના પગલા પડવાની શક્યતાઓ રહેલી છે.

લીલા રંગની વસ્તુઓ:- જો તમે એક જ વારમાં લીલી વસ્તુઓ જુઓ તો સમજી જજો કે તમારા ઘરમાં માતા લક્ષ્મી મહેરબાન થવા જઈ રહ્યા છે. અને તમારી તમામ મનોકામના પૂર્ણ થવા જઈ રહ્યું છે.

સાવરણી:- કહેવાય છે કે સાવરણી માતા લક્ષ્મીનું પ્રતિક છે .જો સવારે તમે કોઈને બહાર ઝાડુ મારતા જુઓ તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે , તેનાથી માતા લક્ષ્મી ક્યારેય પૈસાની કમી થવા નહીં દે અને તમારું ઘર પૈસાથી ભરેલું રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "જો તમને ક્યારેય પણ આ 5 સંકેતો દેખાય તો સમજી જવાનું કે, તમારા પર લક્ષ્મી માતાના આશીર્વાદ વરસવાના છે…"

Leave a comment

Your email address will not be published.


*