‘તું મને નથી ગમતી, તું બીમાર રહે છો, તારા દવાના પૈસા ક્યાંથી લાવું’, અમદાવાદમાં પતિના ત્રાસથી માતાએ પોતાની દીકરી સાથે જીવન ટૂંકાવ્યું… જાણો સમગ્ર ઘટના

Published on: 10:24 am, Wed, 28 September 22

મિત્રો થોડાક દિવસ પહેલા અમદાવાદમાં કાંકરિયા તળાવમાં એક માતાએ પોતાની 6 વર્ષની માસુમ દિકરી સાથે કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે મૃત્યુ પામેલી મહિલાના પતિ સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો થોડાક દિવસ પહેલા અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ કાંકરિયા તળાવમાં એક 28 વર્ષીય મહિલાએ પોતાની 6 વર્ષની દીકરી સાથે મૃત્યુની છલાંગ લગાવી હતી. મૃત્યુ પામેલી મહિલાનું નામ ભારતીબેન ગોરધનભાઈ મોદી હતું અને માસુમ દીકરીનું નામ જીયા હતું.

મૃત્યુ પામેલી મહિલા કૃષ્ણનગર વિસ્તારમાં શાયોના બંગ્લોઝમાં પોતાના પતિ સાથે રહેતી હતી. ઘટના બની તે દિવસે ભારતીબેન ઘરેથી શાકભાજી લેવા માટે જવાનું કહીને નીકળ્યા હતા. ભારતીબેન પોતાની દીકરી જીયા ને પણ સાથે લઈ ગયા હતા. ત્યારબાદ ભારતીબેન પોતાની દીકરી જીયા સાથે કાકરીયા તળાવ પહોંચ્યા હતા અને ત્યાં મૃત્યુની છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

આ ઘટના સામે આવતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા પતિનો ત્રાસ હોવાથી વરણીતા એ દીકરી સાથે સુસાઇડ કરતા ગુનો નોંધ્યો છે.

આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના પિતાએ જમાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં થોડાક સમય પહેલા જમાઈ ગોરધનભાઈ મોદીએ તેઓની દીકરી ભારતીને તું મને નથી ગમતી તું બીમાર રહે છે તારી દવા ના પૈસા ક્યાંથી લાવવા. તારા પિતાએ કાંઈ આપ્યું જ નથી. તેવા ટોણા મારતા હતા અને માનસિક શોષણ કરતાં હતા.

25 સપ્ટેમ્બર ના રોજ ભારતીબેને પોતાની દીકરી જીયા સાથે કાકરીયા તળાવમાં કૂદીને જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાની જાણ ભારતીબેનના જેઠે ભારતીબેનના પિતાને કરી હતી. ઘટનાની જાણ થતા જ પરિવારના લોકો હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. પરિવારના લોકોએ આ સમગ્ર ઘટનાને લઈને નરોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "‘તું મને નથી ગમતી, તું બીમાર રહે છો, તારા દવાના પૈસા ક્યાંથી લાવું’, અમદાવાદમાં પતિના ત્રાસથી માતાએ પોતાની દીકરી સાથે જીવન ટૂંકાવ્યું… જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*