પતિનું મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યું, જ્યારે પત્ની અને ત્રણ દીકરીઓનું મૃતદેહ જમીન પર મળ્યું, એક જ પરિવારના પાંચ લોકોના મૃત્યુ – જાણો સમગ્ર ઘટના

Published on: 2:39 pm, Sat, 16 April 22

હાલમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક જ પરિવારના 5 સભ્યોના જીવ લઈ લેવામાં આવ્યા છે. આ હૃદયદ્રાવક ઘટના પ્રયાગરાજમાં શનિવારના રોજ બની હતી. આ ઘટના ખાગલપુર ગામમાં બની છે. મળતી માહિતી અનુસાર પત્ની અને 3 દીકરીઓનો ધારદાર વસ્તુઓ વડે જીવ લઈ લેવામાં આવ્યો હતો.

અને પતિનો મૃતદેહ બાથરૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું. પતિના શરીર પર કોઈ પણ પ્રકારની ઇજાના નિશાન નથી. મૃત્યુ પામેલા પતિનું નામ રાહુલ તિવારી, તેની પત્નીનું નામ પ્રીતિ તિવારી અને દીકરીઓના નામ માહી, પીહું અને પોહુ હતું.

પોલીસને આ ઘટનાને લઇને સંભાવના છે કે, પતિએ સૌ પ્રથમ પોતાની પત્ની અને ત્રણ દીકરીઓ જીવ લઇ લીધો હશે અને ત્યારબાદ પોતે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હશે. આ સમગ્ર ઘટનાને લઇને મૃત્યુ પામેલા રાહુલની બહેનનો આરોપ છે કે, જેના સાસરામાં થોડાક દિવસોથી માથાકૂટ ચાલી રહી હતી.

સાસરીયા પક્ષ તરફથી કોઈ ષડ્યંત્ર કરવામાં આવ્યું હોઈ શકે છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે ક્રાઈમ બ્રાન્ચના મનમાં એક જ સવાલ ઊભો થઈ રહ્યો હતો કે, રાહુલ દિવાળીનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું છે.

જ્યારે તેમની પત્ની અને ત્રણ દિકરીઓ ના મૃતદેહ નીચે પડેલા જોવા મળ્યા છે. આ ઘટનામાં રાહુલે પોતાની પત્ની અને દીકરીઓનો જીવ લઈને ગળે ફાંસો ખાઈ લીધો હશે અથવા તો કોઈ અન્ય વ્યક્તિએ પાંચેયનો જીવ લઈ લીધો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યા છે.

આ સમગ્ર ઘટનાને લઇને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ નોંધ લીધી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ કરવાના આદેશ આપ્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ કે આરોપીને કડકમાં કડક સજા મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પતિનું મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યું, જ્યારે પત્ની અને ત્રણ દીકરીઓનું મૃતદેહ જમીન પર મળ્યું, એક જ પરિવારના પાંચ લોકોના મૃત્યુ – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*