આજકાલ જીવ ટૂંકાવવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ઉન્નાવના ગંગાઘાટ કોતવાલ વિસ્તારના સહજની ગામમાં એક યુવકે તેની પત્ની સાથે થયેલા વિવાદના કારણે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. પત્ની પતિના લટકતા મૃતદેહને જોઈને ચીસ પાડી જાય છે. પત્નીની સાંભળીને પરિવારજનો ત્યાં પહોંચી આવ્યા હતા.
ત્યાર બાદ પતિને નીચે ઉતારીને હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું હતું. સહજની ગામનો રહેવાસી 45 વર્ષીય સુનિલ ટ્રેક્ટર ડ્રાઇવર હતો.
ગઈકાલે મોડી રાત્રે સુનિલને પોતાની પત્ની સાથે માથાકૂટ થાય છે. માથાકૂટ થયા બાદ સુનિલ રૂમમાં જઈને રૂમને તાળું મારી દે છે. થોડોક સમય થઈ ગયો છતાં પણ પતિ બહાર ન આવ્યો તેથી પત્નીને અને તેને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. દરવાજો ખોલ્યો નહીં ત્યારે પત્નીએ પડોશીની મદદ લીધી અને દરવાજો ખોલ્યો.
દરવાજો ખોલતા જ દ્રશ્ય દેખાયા તે જોઈને પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ. રૂમની અંદર સુનિલ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. પરિવારજનોએ સુનિલને નીચે ઉતારીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, મૃત્યુ પામેલો સુનિલ નશાનો વ્યસની હતો. ગઈકાલે નશામાં ધૂત થઈને તેને પોતાની પત્ની સાથે માથાકૂટ કરી હતી. માથાકૂટના પગલે ઘરની એક રૂમમાં જઈને ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. સુનીલના મૃત્યુના કારણે ત્રણ દીકરીઓ અને એક દીકરો પિતા વગરબી થઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment on "પત્ની સાથે માથાકૂટ થતાં પતિએ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – 4 બાળકો પિતા વગરના થઈ ગયા…"