વડાલ તાલુકામાં પંચાયત કચેરીમાં પતિએ પોતાની પત્નીને સળગાવી દીધી, ત્યાર બાદ પોતે પણ અગ્નિસ્નાન કરી લીધું – જાણો સમગ્ર ઘટના

Published on: 10:06 am, Wed, 11 May 22

હાલમાં વાડોલ તાલુકામાં બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર વાડોલ તાલુકા પંચાયત કચેરીમાં મનરેગા વિભાગમાં કામ કરતી મહિલા ઓપરેટરને તેના જ પતિએ સળગાવી દીધી છે. અને ત્યાર બાદ પતિએ પણ પોતે અગ્નિસ્નાન કરી લીધું હતું. આ ઘટનામાં પતિ અને પત્નીનું કરૂણ મૃત્યુ થયું છે.

સમગ્ર ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર પતિ અને પત્નીનું મૃત્યુ કચેરીની બાલ્કનીમાં જ થયું હતું. ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા.

મળતી માહિતી અનુસાર પતિ અને પત્ની વચ્ચે માથાકૂટ ચાલતી હતી. તેથી બંને છેલ્લા એક મહિનાથી અલગ રહેતા હતા. આ ચોંકાવનારી ઘટના મંગળવારના રોજ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર 40 વર્ષીય મયુરીકા અમિત પટેલ મંગળવારના રોજ બપોરના સમયે તાલુકા પંચાયત કચેરીમાં ઓફિસમાં પોતાનું કામ કરી રહી હતી.

ત્યારે ત્રણ વાગ્યાની આસપાસ મયુરીકાનો 41 વર્ષીય પતિ અમિત કચેરીમાં પ્રથમ માળે ઓફિસમાં ફરજ બજાવતી પોતાની પત્ની પાસે આવીને જ્વલનશીલ પદાર્થની બોટલ કાઢી પ્રથમ પત્ની પર છાંટયા બાદ પોતાના પર પણ જ્વલનશીલ પદાર્થ નાખ્યું હતું. જ્યારે મયુરિકાએ ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે અમિતે તેના શરીર પર આગ લગાવી દીધી હતી.

શરીર પર આગ લાગવાના કારણે મયુરિકા લોબીમાં જ પડી ગઈ. ત્યારબાદ અમિતે પણ અગ્નિસ્નાન કરી લીધું હતું. આ ઘટનામાં બંનેના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા. મળતી માહિતી અનુસાર બંનેના લગ્ન 2004માં થયા હતા. તેમને એક દિકરો પણ છે, તેનું નામ મનન છે. તેણે હાલમાં ધોરણ12ની પરીક્ષા આપી હતી. આ ઘટનાના કારણે મને માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.

આ ઘટનાની જાણ થતાં મનન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. માતા-પિતાનું મૃતદેહ જોઈને મનન ઘટનાસ્થળે બેભાન થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર મયુરિકા અને અમિત વચ્ચે માથાકૂટ થઇ હતી અને માથાકૂટ ના પગલે બંને છેલ્લા એક મહિનાથી એકબીજાથી દૂર રહેતા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વડાલ તાલુકામાં પંચાયત કચેરીમાં પતિએ પોતાની પત્નીને સળગાવી દીધી, ત્યાર બાદ પોતે પણ અગ્નિસ્નાન કરી લીધું – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*