કોરોના ના કેસો ના વધારા વચ્ચે રાજ્યની ભુપેન્દ્ર પટેલ સરકારે નાઈટ કરફ્યુ ને લઈને લીધો મોટો નિર્ણય

Published on: 12:02 pm, Fri, 10 December 21

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના એ ફરી એકવાર માથું ઉંચક્યું છે તેનો નાગરિકોને અહેસાસ થઈ રહ્યો છે. ચિંતાજનક રીતે કોરોના આગળ વધી રહ્યો છે તેમજ 70 જેટલા કેસ પણ નોંધાયા છે. જેમાં મહાનગરોનો સમાવેશ થવા સાથે ગ્રામ્ય માં પણ સંક્રમણ પ્રસરી રહ્યો છે.

આ સંખ્યામાં અમદાવાદમાં 13, જામનગરમાં 10, સુરતમાં 9, વડોદરામાં 12, વલસાડમાં 5, નવસારીમાં 5, કચ્છમાં 3, આણંદમાં 4, રાજકોટમાં 4 કેસ નોંધાયા છે.રાત્રી કર્ફ્યુ માં સરકારે ફરી એકવાર યથાવત રાખ્યું છે. હાલમાં રાજ્યમાં કોરોના કેસો 50 થી 70 ની વચ્ચે કેસો આવી રહ્યા છે

તો કોરોનાના આફ્રિકન વેરીએન્ટ ઓમીક્રોન ની દહેશત વચ્ચે સરકાર કોઈ છૂટ આપવાના મૂડમાં નથી. જેના પગલે સરકારે જુના નિયમોમાં કોઈ છૂટછાટ આપ્યા વગર તમામ નિયમો યથાવત રાખ્યા છે.

ગુજરાતમાં 8 મહાનગરપાલિકા માં રાત્રે 1 વાગ્યા થી 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ યથાવત્ રહેશે. આ માર્ગદર્શિકા 31 ડિસેમ્બર સુધી અમલી રહેશે. કોરોના કેસ વધતા રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના ના કેસો ના વધારા વચ્ચે રાજ્યની ભુપેન્દ્ર પટેલ સરકારે નાઈટ કરફ્યુ ને લઈને લીધો મોટો નિર્ણય"

Leave a comment

Your email address will not be published.


*