શું તમે પણ પાનકાર્ડને આધારકાર્ડ લીંક નથી કરાવ્યું? આ તારીખ સુધી લીંક કરાવવુ જરૂરી છે, નહીંતર….

Published on: 2:56 pm, Tue, 15 June 21

દેશમાં હાલમાં કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા પાનકાર્ડ અને આધારકાર્ડ ની લિંક કરાવવા નો સમય વધારી દેવામાં આવ્યો છે. સૌપ્રથમ સરકાર દ્વારા 31 માર્ચ સુધી સમય મર્યાદિત આપી હતી પરંતુ કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને સરકારે તે સમયમાં વધારો કરીને 30 જુન નો કર્યો છે.

કેન્દ્ર સરકારના નવા બજેટમાં આવકવેરાના કાયદામાં 1961માં નવી 234H કલમનો ઉમેરો કર્યો હતો. જેમાં પાનકાર્ડ અને નિયમિત તારીખ પછી આધારકાર્ડ સાથે જોડવામાં આવશે તો તે વ્યક્તિ પાસેથી દંડ વસૂલવામાં આવશે. જો કોઈ 1 જુલાઈ 2021 અથવા ત્યારબાદ પાનકાર્ડ ની આધાર સાથે લીંક કરશે.

તો તેને એક હજારથી વધુ રૂપિયાનો દંડ ભરવો પડશે. જો તમે પાન કાર્ડ આધાર સાથે લિંક નહિ કરાવતો ટૂંક જ સમયમાં તમારું પાનકાર્ડ રદ થઈ જશે અને ત્યારબાદ તમે કોઈપણ પ્રકારનું નાણાકીય વાર નહીં કરી શકો.

પાનકાર્ડ અને આધારકાર્ડ સાથે લિંક કરાવવા નો સમય 30 જૂને પૂર્ણ થઈ જાય છે. આવકવેરાના કાયદા મુજબ જો વ્યક્તિ પાનકાર્ડ આધારકાર્ડ સાથે 30 જૂન સુધીમાં લિંક નહી કરાવે તો એનું પાન કાર્ડ રદ થઈ જશે.

અને આવા વ્યક્તિઓને પાન આપવું જરૂરી હોય તો તેમણે આવશ્યક રજૂઆત કરી નથી તે માનીને તેમનું પાન રદ્દ કરી દેવામાં આવશે અને ત્યારબાદ તે કોઈપણ પ્રકારના નાણાકીય વ્યવહાર નહીં કરી શકે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "શું તમે પણ પાનકાર્ડને આધારકાર્ડ લીંક નથી કરાવ્યું? આ તારીખ સુધી લીંક કરાવવુ જરૂરી છે, નહીંતર…."

Leave a comment

Your email address will not be published.


*