ત્રીજી લહેર ને લઈને ગુજરાત સરકાર પર હાર્દિક પટેલ નો આરોપ, કહ્યુ કે…

Published on: 3:52 pm, Sat, 5 June 21

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ રાજ્યના મુખ્યમંત્રીને કોરોનાની મહામારી ને લઈને લખ્યો પત્ર. હાર્દિક પટેલે પત્રમાં લખ્યું હતું કે પંજાબ ની જેમ ગુજરાતમાં પણ વેક્સિનેશન પ્રોત્સાહન આપવા માટે જાહેરાતો કરવી જોઈએ. હાર્દિક પટેલે ગુજરાત સરકાર ઉપર આરોપ લગાવતા લખ્યું હતું.

કે ગુજરાત સરકાર કોરોનાની ત્રીજી લહેર ને લઈને ગંભીર હોય તેવું લાગતું નથી. હાર્દિક પટેલે પત્રમાં લખ્યું હતું કે પંજાબની જેમ ગુજરાત સરકારે પણ ગામડાઓમાં 100 ટકા વેક્સિનેશન થાય તે માટે કામ હાથ ધરવું જોઈએ. હાર્દિક પટેલે આ પત્રમાં લખ્યું હતું કે પંજાબ સરકાર ગામડાઓ 100 ટકા વેક્સિનેશન કરનાર ગામડાઓને 10 લાખની ગ્રાન્ટ આપે છે.

હાર્દિક પટેલે કહ્યુ કે ગુજરાતમાં જે ગામડું 100 ટકા લેખે કરનાર ગામડાને 5 લાખથી વધારે ગ્રાન્ટ આપવી જોઈએ. આ ઉપરાંત હાર્દિક પટેલે કહ્યું હતું કે સરકાર ત્રીજી લહેર માટે કોઈપણ પ્રકારની ગંભીરતા દેખાતી નથી.

હાર્દિક પટેલે પત્રમાં લખ્યું હતું કે ગુજરાત સરકાર છેલ્લા એક મહિનાથી વેક્સિંગ આપવાની કાર્યવાહી કરી રહી છે. પરંતુ ગુજરાત સરકારે ધાર્યું હતું તે પ્રમાણે પરિણામ આવ્યું નથી.

તે સરકારને પણ ખબર છે પરંતુ સરકાર સ્વીકારતી નથી. હાર્દિક પટેલે પત્રમાં લખ્યું હતું કે હું ગુજરાત સરકારની સલાહ નથી આપતો પરંતુ ગુજરાત સરકારે જાહેર કરવું જોઈએ કે 100 ટકા વેક્સિનેશન પ્રક્રિયા થશે.

તો ગામડા ના વિકાસ માટે 5 લાખ રૂપિયાથી વધુ ગ્રાન્ટ આપવામાં આવશે. આવી જાહેરાત કરી હોવાથી કોરોના સામે લડાઇ મજબૂત બનશે અને વિકાસના કામમાં પણ વધારો થશે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ત્રીજી લહેર ને લઈને ગુજરાત સરકાર પર હાર્દિક પટેલ નો આરોપ, કહ્યુ કે…"

Leave a comment

Your email address will not be published.


*