નોકરીયાત લોકો માટે ખુશ ખબર, કેન્દ્ર સરકારના આ સુધારાથી કર્મચારીઓને થશે આ મોટો ફાયદો.

Published on: 9:02 am, Sat, 1 May 21

કેન્દ્ર સરકારે મહામારી વચ્ચે કર્મચારીઓને રાહત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અંતર્ગત એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન ના ટ્રસ્ટી બોર્ડ એમ્પ્લોય ડિપોઝિટ લિંકડ ઇન્સયોરન્સ સ્કીમ 1976 હેઠળ ની મહત્તમ રકમ છ લાખ રૂપિયાથી વધારીને સાત લાખ કરી દીધી છે.

આપને જણાવી દઇએ કે શ્રમ મંત્રી સંતોષ ગંગવાર ના નેતૃત્વમાં ઇપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીએ 9 સપ્ટેમ્બર 2020 માં મળેલી બેઠકમાં ઇડીએલઆઇ યોજના હેઠળ વીમાની મહત્તમ રકમ વધારવાનો નિર્ણય લીધો હતો.

સિબિટીએ 9 સપ્ટેમ્બર 2020માં મળેલી બેઠકમાં 14-2-2020 પછી ન્યૂનતમ વીમા રકમ 2.5 લાખ રૂપિયા જાળવી રાખવાનો નિર્ણય પણ કર્યો હતો.

કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારે કહ્યુ કે શ્રમ અને રોજગાર મંત્રાલય 28 એપ્રિલ 2021 ના રોજ EDLI યોજના હેઠળ મહત્તમ વીમા રકમ વધારીને સાત લાખ કરવાના નિર્ણયને અમલમાં મૂકવા માટે જાહેરનામુ બહાર પાડયું છે.

ઇડીએલઆઈ યોજના 1976 ની પેરા -22 (3) માં સુધારણા યોજનાના તે સભ્યોને પરિવારો અને આશ્રિતોને રાહત આપવાનો છે કે જેઓ ચાલુ નોકરીએ દુર્ભાગ્યપૂર્ણ રીતે મોત થઈ જાય છે.

સીબીટી ની માર્ચ 2020 માં થયેલી બેઠક માં ઇપીએફઓ ટ્રસ્ટીઓએ ઓછામાં ઓછો અઢી લાખ રૂપિયાનો લાભ તે મૃત્યુ પામેલ કર્મચારીના પરિવારના સભ્યોને આપવાની ભલામણ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "નોકરીયાત લોકો માટે ખુશ ખબર, કેન્દ્ર સરકારના આ સુધારાથી કર્મચારીઓને થશે આ મોટો ફાયદો."

Leave a comment

Your email address will not be published.


*