વિદેશમાં રહેતા ગુજરાતીઓ ચેતી જજો..! દ્વારકાના ખંભાળિયાના વતની કેતનભાઈને દુકાનમાં ઘૂસીને યુવકે ગોળી મારી… સમગ્ર મહાજન પરિવારમાં માતમ છવાઈ ગયો…

Published on: 6:22 pm, Tue, 20 December 22

મિત્રો તમને બધાને ખબર હશે કે દુનિયાના મોટેભાગના દેશોમાં ગુજરાતીઓ વસી રહ્યા છે. વિદેશમાં રહીને તેઓ દિવસ રાત મહેનત કરીને એક ગુજરાતી તરીકે ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી અમેરિકા સહિત અન્ય દેશોમાં ગુજરાતીઓ ઉપર થતા જીવલેણ પ્રહારની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે અને અત્યાર સુધીમાં ઘણા ગુજરાતી યુવક હોય પોતાના જીવ પણ ગુમાવ્યા છે.

ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે આ ઘટનામાં કેન્યામાં ગુજરાતના દ્વારકાના ખંભાળિયાના મૂળ વતની કેતનભાઇ નામના વ્યક્તિ પર ગોળી ચલાવીને તેમનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. કેતનભાઇ ખંભાળિયા તાલુકાના દાતા ગામના વતની હતા.

તેમના મૃત્યુના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને ગામના લોકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. કેતનભાઇનું આખું નામ કેતનભાઇ હિંમતલાલ શાહ હતું. કેતનભાઇ શાહ કેન્યામાં પોતાની મોબાઇલની દુકાન ચલાવે છે. ઘટના બની તે દિવસે કેતનભાઇ પોતાની મોબાઇલની દુકાન ઉપર બેઠા હતા.

ત્યારે બાઈક સવારે યુવક તેમની દુકાનમાં ખુશી આવે છે અને તેમના ઉપર ગોળી ચલાવીને તેમનો જીવ લઈ લે છે. આ ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચે તે પહેલા તો આરોપી યુવક બાઇક પર બેસીને ફરાર થઈ ગયો હતો.

સ્થાનિક લોકોએ તાત્કાલિક આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે. કેતનભાઇના મૃત્યુના કારણે એક બાળકે પિતાની છત્રછાયા ગુમાવી છે. કેતનભાઇનું મૃત્યુ થતાં જ સમગ્ર મહાજન પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

વિદેશમાં રહેતા દરેક ગુજરાતીઓ માટે આ એક ચેતવણી રૂપ કિસ્સો છે. દિવસેને દિવસે વિદેશમાં ગુજરાતીઓ ઉપર થતા જીવલેણ પ્રહારના કિસ્સાઓ વધી રહ્યા છે. ખાસ કરીને અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં આવા કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વિદેશમાં રહેતા ગુજરાતીઓ ચેતી જજો..! દ્વારકાના ખંભાળિયાના વતની કેતનભાઈને દુકાનમાં ઘૂસીને યુવકે ગોળી મારી… સમગ્ર મહાજન પરિવારમાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*