અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રી રામ મંદિરના નિર્માણમાં ગુજરાતીઓ કરી રહ્યા છે કરોડોનું દાન, હીરાના આ વેપારીએ તો કર્યું આટલું મોટું દાન.

Published on: 3:54 pm, Sat, 16 January 21

અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રીરામના મંદિરના નિર્માણ માટે ગુજરાતીઓ દાન આપવા માં ખુબજ આગળ છે. ભગવાન શ્રીરામ મંદિરનો શીલાયન્સ કાર્યક્રમ પૂર્ણ થઇ ગયો છે અને મંદિર બનવાનું કાર્ય નો પણ પ્રારંભ થઈ ગયો છે.અને હીરાના વેપારીઓના નામ આ દાન આપવામાં ખૂબ જ મોકલે છે.

જે સમગ્ર ગુજરાત માટે ખૂબ જ સારી વાત કહી શકાય. અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રી રામ મંદિરના નિર્માણ માટે નિધિ સમર્પણ અભિયાન ની શરૂઆત જ સાથે સુરતના હીરાના વેપારી.

ગોવિંદભાઈ ધોળકિયા રૂપિયા 11 કરોડ નું દાન આપ્યું છે.સુરતમાંથી મહેશ કબુતર વાલા એ પાંચ કરોડનું જ્યારે લવજી બાદશાહ એક કરોડનું દાન આપ્યું છે. આ ઉપરાંત અનેક વેપારીઓએ 5 લાખથી 21 લાખ સુધીનું દાન આપ્યું છે.

ભારતીય જનતા પાર્ટીનાં ગોરધન ઝડફિયા અને ખજાનચી.શ્રી સુરેન્દ્ર પટેલે પણ પાંચ લાખ રૂપિયાનું દાન આપ્યું છે.આ અભિયાનમાં સૌ પ્રથમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિડ પાંચ લાખ રૂપિયાનું દાન આપ્યું છે.

ત્યારબાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે એક લાખ રૂપિયાનું દાન આપ્યું છે.ભગવાન શ્રીરામના મંદિરના નિર્માણ માટે લોકો રૂ.10 થી લઇ ઈચ્છા અને શક્તિ મુજબ દાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રી રામ મંદિરના નિર્માણમાં ગુજરાતીઓ કરી રહ્યા છે કરોડોનું દાન, હીરાના આ વેપારીએ તો કર્યું આટલું મોટું દાન."

Leave a comment

Your email address will not be published.


*