ગુજરાત આપને મોટો ફટકો, એકસાથે 300 થી પણ વધારે કાર્યકર્તાઓનું રાજીનામું.

Published on: 10:00 pm, Thu, 25 March 21

રાજકોટ આમ આદમી પાર્ટીના શહેર યુવા પ્રમુખ દેવાંગ ગજ્જર, શહેર મહામંત્રી દિવ્યાકાન્ત કગરાણા સહિત 300 જેટલા કાર્યકરોએ એકસાથે રાજીનામા ધરી દીધા છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ફાયદો કરાવી.

કોંગ્રેસ ને ફટકો આપનાર આમ આદમી પાર્ટી નું રાજકોટ માં મોટું ભંગાણ થયું છે.રાજીનામા આપવા પાછળ નું મુખ્ય કારણ પાર્ટીમાં યુવનોની અવગણ ના થતી હોવાનું જણાવ્યું છે.

રાજીનામાં અંગે પૂર્વ આપ નેતા ઇન્દુભા રાઓલે જણાવ્યું કે,કેજરીવાલ અને આપની વિચારધારા થી યુવા રાજનીતિ ને આગળ વધારવા આપ સાથે અને તમામ લોકો જોડાયા હતા.

પરંતુ પાર્ટીમાં યુવાનો નો માત્ર રેલી કે સભા દરમિયાન જ ઉપયોગ કરવામાં આવતો હતો તેમજ યુવાનો ની અવગણ ના થતી હતી.

ગુજરાત માં 6 મહાનગર પાલિકાની ચૂંટણી અને પરિણામ માં ભાજપનો સવત્ર ભગવો લહેરાયો છે પરંતુ સુરત માં આ વખતે કોંગ્રેસ પોતાનું ખાતું ખોલાવી શકી નથી તો આમ આદમી પાર્ટીના એક સાથે 27 કોર્પોરેટર બન્યા છે.

તો હવે ગાંધીનગર મહાનગરપાલિકાની પણ ચૂંટણી યોજાશે અને આ ચુંટણીમાં પણ આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારવા જઈ રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત આપને મોટો ફટકો, એકસાથે 300 થી પણ વધારે કાર્યકર્તાઓનું રાજીનામું."

Leave a comment

Your email address will not be published.


*