26મી જાન્યુઆરી ની ઉજવણીને લઈને ગુજરાત સરકારનો ચોંકાવનારો પરિપત્ર થયો જાહેર, જાણો વિગતે.

Published on: 6:03 pm, Tue, 19 January 21

26 મી જાન્યુઆરી ની ઉજવણી ને લઇ ગુજરાત સરકારનો પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં 1000 લોકોને જ મંજૂરી આપી દેવામાં આવી છે અને જિલ્લા કક્ષાએ 400 અને તાલુકા કક્ષાએ 250 લોકોને મંજૂરી આપવામાં આવી છે.

અને એટલું જ નહીં 56 મિનિટમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી પૂરી કરવા સૂચના પણ આપી દેવામાં આવી છે. આ કાર્યક્રમમાં કોરોના નિયમ અને માસ્ક અને સામાજિક અંતર નું પણ ફરજિયાત પણે પાલન કરવું પડશે.

માત્રા આમંત્રિત સંખ્યા ઉપર નિયંત્રણો જ નહીં પણ ગુજરાત સરકારે 26 મી જાન્યુઆરી ની ઉજવણી કેટલા સમયમાં પૂરી કરવી તેના ઉપર પણ મર્યાદા બાંધી છે. GAD ની સુચના મુજબ જિલ્લા તાલુકા સ્તરે થતા સરકારી કાર્યક્રમ ને.

56 જ મિનિટમાં સમેટી લેવા ના આદેશ આપવામાં આવ્યા છે.રાષ્ટ્રીય પર્વ તેમાં પણ લોકતંત્રમાં સૌથી મહત્વના એવા પ્રજાસત્તાક દિવસે પ્રજાની સામેલગીરી સંદર્ભે સરકાર દ્વારા આ પ્રકારની મર્યાદા બાંધવામાં આવતાં.

અનેક અધિકારીઓમાં કચવાટ શરૂ થયો છે.તાલુકા જિલ્લા સ્તરની વહીવટી દર માં સતી ચર્ચા મુજબ શાળા બંધ હોવાથી સરકારી ઉજવણીમાં વિદ્યાર્થીઓ અને અનેક યુવાનો આવવાના જ ન હતા છતાંયે મર્યાદા બાંધવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "26મી જાન્યુઆરી ની ઉજવણીને લઈને ગુજરાત સરકારનો ચોંકાવનારો પરિપત્ર થયો જાહેર, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*