આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે ગુજરાતનું બજેટ નફામાં હશે: ઈસુદાન ગઢવી

Published on: 6:31 pm, Thu, 8 September 22

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવી એક વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાર્ટીલે ફરીથી પોતાની ગુજરાત વિરોધી માનસિકતા છતી કરી છે. અમને ખબર છે કે તમે ગુજરાતી નથી બિન ગુજરાતી છો એટલે ગુજરાત વિરોધની માનસિકતા ધરાવો છો. ગુજરાતની જનતા ને 300 વીજળી મફતમાં મળે તો તેમને પેટમાં દુખે છે, તેમને 4000 યુનિટ વીજળી ફ્રી મળે છે એને મૂકી દો. તમે કરોડપતિ છો એવું રિપોર્ટમાં વાંચ્યું છે, તો તમને પ્રજાના ટેક્સના પૈસે જે ફ્રી સુવિધાઓ મળે છે તે મૂકી દો. ફ્રી રેવડી કહીને ગુજરાતની જનતાની મજાક કરો છો. તમે એવું કહ્યું છે કે ફ્રી રેવડી આપવાથી ગુજરાત બરબાદ થઈ જશે. દિલ્હીમાં બધી સેવાઓ ફ્રી મળે છે છતાં પણ દિલ્હીની સરકાર નફામાં ચાલી રહે છે. અને ગુજરાતમાં એક પણ વસ્તુ ફ્રીમાં આપવામાં આવતી નથી છતાં પણ ગુજરાતમાં સાડા ત્રણ લાખ કરોડનું દેવું છે.

ત્યારબાદ ઈશુદાન ગઢવીએ સી.આર પાટીલ અને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે ગુજરાતને તમે ડુબાડી દીધું છે. ગુજરાતની જનતાને એના ટેક્સના પૈસાનું વળતર આપો, નહિતર ખુરશી ખાલી કરો. વધુમાં ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે તમે જોઈ લેજો મહિલાઓને ₹1,000 આપીશું, ફ્રી વીજળી આપીશું, તમામ ઘર સેવાઓ આપીશું, તમામ લોકોને આરોગ્ય સેવાઓ ફ્રીમાં મળશે, છતાં પણ આમ આદમીની પાર્ટી ની સરકારમાં ગુજરાતનું બજેટ નફામાં રહેશે. ઈશુદાન ગઢવી એ કહ્યું કે આ વાત અમે લખીને આપીશું તમારી જેમ ભ્રષ્ટાચારી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે ગુજરાતનું બજેટ નફામાં હશે: ઈસુદાન ગઢવી"

Leave a comment

Your email address will not be published.


*