ગોપાલ ઇટાલીયાએ માં આદ્યશક્તિની આરતી ઉતારીને ગુજરાત અને દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરી.

Published on: 11:54 am, Sat, 1 October 22

માં આદ્યશક્તિની ઉપાસના ના મહાપર્વ નવરાત્રીના રંગમાં આજે આખું ગુજરાત રંગાયેલું છે ત્યારે સમગ્ર ગુજરાતની સાથે સાથે દેશના લોકો પણ આ પર્વને ખૂબ જ સારી રીતે મનાવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા અને સંગઠન મંત્રી તથા કામરેજ વિધાનસભાના

ઉમેદવાર રામ ધડુક અને ધર્મેશ ભંડેરી સહિત સુરત શહેરમાં ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો તથા કાર્યકર્તાઓ નવરાત્રી પર્વના ચોથા નોરતે કામરેજ વિસ્તારમાં આવેલી કાવેરી હેબિટસમાં માતાજીની આરતી કરી અને મન મૂકીને ગરબે ઘુમ્યા હતા. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા માતાજીના આશીર્વાદ

લીધા અને પ્રાર્થના કરી કે ગુજરાત અને દેશ દિવસે ને દિવસે પ્રગતિ કરે અને દેશના લોકોનું સ્વસ્થ અને ખુશાલ રહે.આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એ માતાજી આદ્યશક્તિને આભાર વ્યક્ત કરતા કહ્યું કે માતાજી આદ્યશક્તિની કૃપાથી આજે આમ આદમી પાર્ટી ગુજરાતના ઘરે-ઘરે પહોંચી રહી છે અને લોકોને તેના

મૂળભૂત અધિકારો અપાવવાની લડાઈમાં દિવસેને દિવસે આગળ વધી રહી છે અને આજે આમ આદમી પાર્ટી સત્ય અને ધર્મના રસ્તા ઉપર ચાલી રહી છે અને ગુજરાતમાંથી અસત્ય અને અધર્મને ખતમ કરવા માટે દિવસ રાત મહેનત કરી રહેશે જે રીતે અત્યાર સુધીમાં આદ્યશક્તિનું આશીર્વાદ અમારી સાથે રહ્યો એવો આશીર્વાદ આગળ પણ મળતો રહે એવી પૂરી આશા છે તેવું ગોપાલ ઇટાલીયા જણાવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગોપાલ ઇટાલીયાએ માં આદ્યશક્તિની આરતી ઉતારીને ગુજરાત અને દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરી."

Leave a comment

Your email address will not be published.


*