કેરીના ચાહકો માટે ખુશીના સમાચાર : જૂનાગઢ માર્કેટયાર્ડમાં કેસર કેરીનું થયું આગમન – જાણો શું હશે કેરીનો ભાવ…

Published on: 12:28 pm, Sun, 27 March 22

ગયા વર્ષે આવેલા તાઉતે વાવાઝોડું અને કમોસમી વરસાદના કારણે આંબાના પાકને ભારે નુકસાન થયું હતું. લગભગ 70% આંબાના પાકને નુકસાન થયું હતું. એટલે આ વર્ષે માર્કેટમાં કેરી મોંઘી વેચાય શકે તેવી શક્યતાઓ છે. આ વર્ષે કેરીનું આગમન પણ મોડું થયું છે અને કેરીનો ભાવ પણ મોંઘો છે.

ત્યારે જૂનાગઢ માર્કેટયાર્ડમાં કેસર કેરીનું આગમન થઇ ગયું છે. કેસર કેરીનું આગમન થતાં જ કેરીની માંગ વધી ગઈ છે અને કેરીના રસિયાઓ કેરી ખરીદવા માર્કેટયાર્ડ પહોંચી ગયા છે. જૂનાગઢ માર્કેટયાર્ડમાં 10 કિલો કેરીનો ભાવ 1000 રૂપિયાથી લઈને 1600 રૂપિયા સુધી બોલાવ્યો છે.

કેરીની સિઝન શરૂ થઈ જાય છે પરંતુ હજુ પણ અમુક માર્કેટયાર્ડમાં જ કેરીનું આગમન થયું છે. વાવાઝોડાના કારણે કેરીનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે. ઉત્પાદન ઓછું છતાં આ વર્ષે કેરીના ભાવ ગયા વર્ષ કરતાં બમણા ચૂકવવા પડશે.

જૂનાગઢ માર્કેટયાર્ડમાં મેંદરડા માલણકા ગામના ખેડૂતોએ કેરીના 62 બોક્સ હરાજીમાં મુક્યા હતા. સિઝનની પ્રથમ કેસર કેરીની હરાજીમાં વેપારીઓએ જોઇયે તેટલો રસ બતાવ્યો નહોતો. જૂનાગઢ માર્કેટ યાર્ડ માં 10 કિલો કેરીના બોક્સનો ભાવ 1000 રૂપિયાથી લઈને 1600 રૂપિયા સુધી બોલાવ્યો હતો.

આ ભાવ ગયા વર્ષ કરતાં લગભગ બમણો છે. હજુ પણ માર્કેટમાં કેરીનું આગમન મોડું થશે તેવી શક્યતાઓ છે. જૂનાગઢ જિલ્લાના ડુંગરવાળા વિસ્તારોમાં આગોતર પાકની કેસર કેરીનું આગમન થઇ ગયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કેરીના ચાહકો માટે ખુશીના સમાચાર : જૂનાગઢ માર્કેટયાર્ડમાં કેસર કેરીનું થયું આગમન – જાણો શું હશે કેરીનો ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*