ખેડૂતો માટે સારા સમાચાર : આ તારીખથી મગફળીની ટેકાના ભાવે શરૂ થશે ખરીદી

Published on: 11:31 am, Thu, 4 November 21

છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા ની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે અને હવે લાભપાંચમથી ટેકાના

ભાવે મગફળી ખરીદવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ માહિતી સામે આવ્યા બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.કૃષિમંત્રી રાઘવજી પટેલ જામનગર થી ખરીદીનો પ્રારંભ કરાવશે.

જેમાં સરકાર દ્વારા 90 દિવસ સુધી મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. મગફળીની ખરીદી ને લઈને અત્યાર સુધીમાં 2 લાખ 60 હજાર જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે મગફળીની ખરીદી સાથે સોયાબીન અડદ અને મગ ની ખરીદી પણ કરવામાં આવશે. એટલે જે પણ ખેડૂતો સોયાબીન અડદ અને મગ વેચાણ કરવાના છે તેમના માટે પણ સરકાર દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. કારણકે મગફળી ની સાથે સાથે તેની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતો માટે સારા સમાચાર : આ તારીખથી મગફળીની ટેકાના ભાવે શરૂ થશે ખરીદી"

Leave a comment

Your email address will not be published.


*