ખેડૂતો માટે આનંદના સમાચાર : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતો માટે કર્યું આ મહત્વનું કાર્ય.

Published on: 8:32 pm, Thu, 3 June 21

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાની કહેર વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્યા. રાજ્યના ખેડૂતોને પાકના ધિરાણની રકમ ચૂકવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દ્વારા રાહત આપવામાં આવી.

ગુજરાત રાજ્યની નેશનલાઈઝડ, રિજિયોનલ રૂરલ બેંક, સહકારી કે ખાનગી કોઈપણ બેન્કમાંથી ખેડૂતોએ લીધેલી મુદતના પાક ધિરાણની ભરપાઈ કરવાની સમય મર્યાદિત મુદત 30 જૂન સુધી રાજ્યની રૂપાણી સરકાર દ્વારા વધારી દેવામાં આવી છે.

આ ઉપરાંત મુખ્ય મંત્રીએ રાજયના ખેડૂતોને પાક.ના ધિરાણની તારીખ લંબાવવાની અને તેની સાથે સરકારે 4 ટકા વ્યાજ ની રાહત આપો. આ વ્યાજ ગુજરાત સરકાર ચૂકવશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે વ્યાજ રાણક નો વધારો અંદાજિત રૂપિયા 241.50 કરોડનો ખર્ચો ભોગવશે.

આ ઉપરાંત કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે બુધવારના રોજ ખેડૂતો માટે એક લાભદાયક સમાચાર બહાર પાડ્યા. ખેડૂતોને દાળ અને તેલીબિયાંના ઉચા ઉપજ્વાળા બીજનો વિતરણથી જોડાયેલા એક મીની કીટ કાર્યક્રમ શરૂ કર્યો છે.

કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશન દ્વારા તેમનું પોષણ કરવાનું રહેશે. આ બિયારણ 15 જૂન 2021 સુધી ચાલુ રહેશે. જેના કારણે ખેડૂતોને ખરીફ પાકના વાવેતર પેલા બિયારણ મળી રહેશે.

રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશન અંગત ગાળાની કુલ 2027318 કિટ અને સોયાબીનની 8 લાખથી પણ વધારે મીનીકીટ અને મગફળીની 74000 મિનિ કીટ ફ્રીમાં આપવામાં આવશે.

નોધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતો માટે આનંદના સમાચાર : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતો માટે કર્યું આ મહત્વનું કાર્ય."

Leave a comment

Your email address will not be published.


*