ગુજરાતમાં કોરોનાને લઈને આવ્યા સારા સમાચાર, 24 કલાકમાં કેસમાં થયો ઘટાડો…

Published on: 8:26 pm, Thu, 10 December 20

ગુજરાતમાં દિવાળી પછી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો તેના કારણે રાજ્યમાં ચાર શહેરમાં કરફયુ લગાવવામાં આવ્યો હતો. અને તેની સાથે જ લગ્નની સિઝન પણ આવી ગઈ હતી તેના કારણે સંક્રમણ પણ વધ્યું હતું. રાજ્યમાં કોરોના કેસ ને રિકવરી રેટ 92% પહોંચી ગયો છે આજે માટે સારા સમાચાર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1270 કેસ નોંધાયા છે.અને છેલ્લા ૨૪ કલાકમાં 1465 લોકોને કોરોના માંથી રિકવરી મળી છે.

અત્યાર સુધી  રિકવરીમાં દર્દીઓનો આંકડો 206125 ને પહોંચી ગયો છે.રાજ્યમાં મૃત્યુનો કુલ આંકડો 4135 પર પહોંચ્યો છે. તેમાં છેલ્લા ૨૪ કલાકમાં 12 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં હાલમાં કુલ એક્ટિવ કેસ 13820 છે.અને રાજ્યમાં કોરોના ટેસ્ટિંગ નો આંકડો 8492641 પહોંચ્યો છે.

આજરોજ અમદાવાદ શહેરમાં કોરાણા ના કેસ નો આંકડો 265, સુરતમાં 171, વડોદરામાં 138 આ ત્રણ શહેરમાં કોરોના નો કેસ 100 કરતાં વધારે છે.

ગુજરાત માટે આ ખૂબ જ સારા સમાચાર છે. ગુજરાત ઘોડાના સંક્રમણમાં ખૂબ જ ઘટાડો થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જૂરૉકઝ ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં કોરોનાને લઈને આવ્યા સારા સમાચાર, 24 કલાકમાં કેસમાં થયો ઘટાડો…"

Leave a comment

Your email address will not be published.


*