ભગવાન વિશે મન ફાવે તેવું બોલનાર સંતો પર ગુસ્સામાં આવીને રાજભા ગઢવીએ કહ્યું કે, “તારા બાપની ભોળાનાથ ની લટ…

Published on: 11:33 am, Fri, 16 September 22

મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતોના વિવાદિત નિવેદનો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. જેમાં તેઓ ભાન ભૂલી ગયા હોય તેમ ભગવાનની વિરુદ્ધમાં મનમાં આવે તેવી કોમેન્ટો કરી રહ્યા છે. આ નિવેદનો સામે આવતા જ હિન્દુ ધર્મના લોકોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો છે.

મિત્રો થોડાક દિવસ પહેલા જ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત દ્વારા દેવોના દેવ મહાદેવ પર વિવાદિત ટિપ્પણીઓ કરવામાં આવી હતી. ત્યારે આ બાબત પર હવે ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ વિવાદિત ટિપ્પણી કરતા સંતોને આડેહાથ લીધા છે.

રાજભા ગઢવી એ કડક શબ્દોમાં કહ્યું કે, આ સનાતન ધર્મને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ લોકોમાં દેવોના દેવ મહાદેવને ઓળખવાની તાકાત નથી. મિત્રો રાજભા ગઢવીએ VTV ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જો કોઈ પણ વ્યક્તિ મારા ભગવાન વિશે બોલશે તો અમે પણ તેના પર ચોક્કસ બોલશું.

રાજભા ગઢવી વધુમાં કહ્યું કે, આ લોકો જાણી જોઈને સનાતન ધર્મને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે જ્યારે ભગવાનનું અપમાન થશે ત્યારે અમે ચૂપ નહીં બેસીએ. આમાં માફી ના હોય, આ તો ગુનો છે. મિત્રો તમને જણાવી દઈએ કે સ્વામિનારાયણ સંપ્રદાયના આનંદ સાગર સ્વરૂપ નામના સ્વામીએ ભગવાન મહાદેવ પર વિવાદત ટિપ્પણીઓ કરી હતી.

ત્યારબાદ આ વિવાદે ખૂબ જ રુદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. એક પછી એક સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા ભગવાન વિશે કરેલી વિવાદિત ટિપ્પણીઓના જુના વિડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. હજુ તો આ બધો મામલો શાંત નથી પડ્યો ત્યાં વધુ એક સંત નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત હનુમાનજી મહારાજ ઉપર વિવાદ ટિપ્પણી કરતા નજરે પડ્યા છે. આ સંત કહી રહ્યા છે કે હનુમાનજી કોઈ ભગવાન નથી. આ બધા નિવેદનો સામે આવતા હવે એવું લાગી રહ્યું છે કે સનાતન ધર્મને તોડવાના પ્રયત્નો થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભગવાન વિશે મન ફાવે તેવું બોલનાર સંતો પર ગુસ્સામાં આવીને રાજભા ગઢવીએ કહ્યું કે, “તારા બાપની ભોળાનાથ ની લટ…"

Leave a comment

Your email address will not be published.


*