હવેથી આપણી પાસે રાશન કાર્ડ નહીં હોય તો પણ મફત મળશે અનાજ, સરકાર દ્વારા શરૂ કરાઇ મહત્વની યોજના

Published on: 5:10 pm, Mon, 11 October 21

મોદી સરકારે રાશનકાર્ડ ધારકોને મોટી રાહત આપી છે.કેન્દ્ર સરકારના આ નિર્ણયથી હવે રાશન કાર્ડ વગર પણ મફત અનાજ નો લાભ લઈ શકાય છે. ઘણા રાજ્યોમાં લાભાર્થીઓને મફત અનાજ આપવામાં આવી રહ્યું છે. દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં વન નેશન વન રાશનકાર્ડ લાગુ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

કેન્દ્રની મોદી સરકાર આખા દેશમાં આ યોજના પર ઝડપથી કામ કરી રહી છે.આ કારણે મોટાભાગના રાજ્યોમાં નવા રાશનકાર્ડ ઉપરાંત જુના રાશન કાર્ડ માં નામ ઉમેરવા અને દૂર કરવાનું કામ પણ ચાલી રહ્યુ છે.કેન્દ્રના નિયમો પર ધ્યાન આપીએ તો તેના માટે રાશનકાર્ડ ને આધાર અથવા બેન્ક એકાઉન્ટ સાથે લીંક કરાવવાનું રહેશે.

દિલ્હી એનસીઆર પછી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડમાં સસ્પેન્ડ કરાયેલા કાર્ડ ને પણ આધાર અથવા બેન્ક એકાઉન્ટ સાથે લીંક કરાવવાનું કામ કરવામાં આવ્યું છે.

દિલ્હી સરકાર તરફથી આ યોજના હેઠળ અનાજ નું વિતરણ અત્યારે તમામ ઇ-પીઓએલ ના માધ્યમથી લાગુ કરવામાં આવી રહ્યું છે. હવે લાભાર્થીઓને રાશન કાર્ડ વગર પણ મફત રાશન મળી શકશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હવેથી આપણી પાસે રાશન કાર્ડ નહીં હોય તો પણ મફત મળશે અનાજ, સરકાર દ્વારા શરૂ કરાઇ મહત્વની યોજના"

Leave a comment

Your email address will not be published.


*