1 માર્ચથી ગુજરાતના લોકોનું વીજળી બિલ ઝીરો આવવા લાગશે : અરવિંદ કેજરીવાલ

Published on: 7:52 pm, Sat, 8 October 22

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરી વાલે દાહોદની જાહેર સભામાં હજારો લોકોની સંખ્યામાં લોકોને સંબોધિત કરતા કહ્યું હતું કે, હું તમારા માટે મોટા સમાચાર લઈને આવ્યો છું. આઈ સી બી નો એક રિપોર્ટ આવ્યો છે. કેન્દ્ર સરકારે આ એજન્સી ગુજરાતમાં મોકલીને એક સર્વે કરાવ્યો હતો. આ એક સરકારી એજન્સી છે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરી વાલે દાહોદની જાહેર સભામાં હજારો લોકોની સંખ્યામાં લોકોને સંબોધિત કરતા કહ્યું હતું કે, હું તમારા માટે મોટા સમાચાર લઈને આવ્યો છું. આઈબીનો એક રિપોર્ટ આવ્યો છે. કેન્દ્ર સરકારે આ એજન્સી ગુજરાતમાં મોકલીને એક સર્વે કરાવ્યો હતો. આ એક સરકારી એજન્સી છે.

અરવિંદ કેજરીવાલ એ જણાવ્યું કે આઇબીએ કેન્દ્ર સરકારને રિપોર્ટ આપ્યો છે કે ડિસેમ્બરમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે આઈબી નો રિપોર્ટ કહી રહ્યો છે કે, આમ આદમી પાર્ટીને 94 થી 95 સીટ મળી શકે છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી જીતી રહી છે પરંતુ બે ત્રણ સીટો ઉપરથી જીતી રહી છે, પરંતુ બે ત્રણ સીટો પરથી નહીં, આમ આદમી પાર્ટીની જીત 40 50 સીટ ઉપર થવા જઈ રહી છે. ગુજરાતમાં એટલી બધી બેઠકો આવી જોઈએ કે દિલ્હી અને પંજાબનો રેકોર્ડ તૂટી જાય.

વધુમાં વાત કરતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, જ્યારે ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું ત્યારે ઘણા પૈસાની બચત થશે, તે પૈસાથી સૌથી પહેલા તમારી વીજળી મફત કરીશું. મારી પાસે ગુજરાતના ઘણા લોકો આવે છે અને કહે છે કે મોંઘવારી ઘણી બધી વધી ગઈ છે. બાળકોને ઉછેરવાના પૈસા નથી અને આવક નથી વધી રહી. અરવિંદ કેજરીવાલ એ જણાવ્યું કે દિલ્હી અને પંજાબમાં અમે વીજળી મફત કરી દીધી અને જેમના જુના બિલ બાકી હતા તેમના જુના બિલ પણ માફ કર્યા. હવે દિલ્હી અને પંજાબમાં લોકોને જીરો બીલ આવે છે. દિલ્હીમાં 42 લાખ લોકોનું વીજળી બિલ જીરો આવે છે અને પંજાબમાં 50 લાખ લોકોનું વીજળી બિલ જીરો આવે છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ બંને પાર્ટીઓ મને ગાળો આપી રહી છે કે અરવિંદ કેજરીવાલ મફતમાં વીજળી કેમ આપે છે? કેજરીવાલ મફતની રેવડી કેમ વેચે છે? તેમના મુખ્યમંત્રીને 5000 યુનિટ અને ધારાસભ્યોને 4000 યુનિટ વીજળી મફત મળે છે. ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીઓને મફતમાં વીજળી મળે તો તેમને તકલીફ નથી, પરંતુ ગુજરાતી જનતાને 300 unit મફત વીજળી મળે છે તો તેમને તકલીફ થાય છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "1 માર્ચથી ગુજરાતના લોકોનું વીજળી બિલ ઝીરો આવવા લાગશે : અરવિંદ કેજરીવાલ"

Leave a comment

Your email address will not be published.


*