ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આ તારીખે જોડાશે કોંગ્રેસ : સૂત્ર

Published on: 9:19 am, Thu, 4 February 21

શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો ગઈ કાલે સવાર થી ચાલી રહી છે અને તેમને વીડિયો જાહેર કરીને કોંગ્રેસમાં જોડાવા અંગેની કબૂલાત પણ કરી છે ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, આગામી 12 ફેબ્રુઆરી ની આસપાસ શંકરસિંહ વાઘેલા ફરિવાર કોંગ્રેસમાં જોડાઇ શકે છે.

ગઈકાલે સવારથી જ કોંગ્રેસના પૂર્વ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં ઘર વાપસીને લઇને રાજકારણ ગરમાયું હતું.ત્યારે હવે સૂત્રો દ્વારા મળતી.

માહિતી મુજબ આગામી 12 ફેબ્રુઆરી ની આસપાસ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ની હાજરીમાં શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાઇ શકે છે.આપણે જણાવી દઈએ કે કોંગ્રેસ માં ઘર વાપસીને લઇને શંકરસિંહ વાઘેલા આગામી બે દિવસમાં દિલ્હી હાઇ કમાન્ડ ને મળવા જાય તેવી પણ શક્યતા છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકારણ માં ગરમાવો આવ્યો છે.કારણ કે, શંકરસિંહ વાઘેલાએ ફરીથી કોંગ્રેસમાં જવાની તૈયારી દર્શાવી છે.તેમને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બોલાવે.

તો કોંગ્રેસને જવાની ઇચ્છા વ્યક્ત કરી છે.શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાં જોડાયા પહેલા તેનો વિરોધ શરૂ થયો છે. કેટલાક નેતાઓએ આવકારવા માટે તૈયાર છે અને કેટલાક નેતાઓ કોંગ્રેસના શંકરસિંહ એન્ટ્રી પછી જૂથવાદ વધશે તેવી કહી રહા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આ તારીખે જોડાશે કોંગ્રેસ : સૂત્ર"

Leave a comment

Your email address will not be published.


*