અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે આ મુસ્લિમ યુવક 90 લાખ રૂપિયાની સંપત્તિનું આપશે દાન, ધર્મ ભલે જુદા હોય પરંતુ છે તો મનુષ્ય જ ને…

Published on: 5:44 pm, Fri, 13 May 22

આજે અમે તમને જે વાત જણાવવા જઈ રહ્યા છીએ જેમાં એક મુસ્લિમ યુવકે અયોધ્યા રામ મંદિરના નિર્માણ માટે ૯૦ લાખની સંપત્તિ દાન કરવા ઈચ્છે છે. ત્યારે આ સમગ્ર સમાચાર વિશે દેશભરમાં ચર્ચાઓ થઈ રહી છે. એવામાં ઈદના દિવસે ટ્વીટર, ફેસબુક પર એક તસવીર ઝડપથી વાયરલ થતી દેખાય છે જેમાં ભગવા કપડાં પહેરીને એક મુસ્લિમ યુવક મસ્જિદમાં નમાજ અદા કરતો નજરે પડયો છે. એટલું જ નહિ પરંતુ આ તસવીર અન્ય કોઈની નહીં પણ મુઝ્ઝફર નગર ના મોહમ્મદ ગઝની હતી.

વિસ્તૃતમાં જણાવીએ તો જેમને ભગવા કપડા ખૂબ વધુ પસંદ કરતા હોવાથી તેમણે સીએમ યોગીના જબરા ચાહક હોવાથી તેમણે ભગવા ધારણ કર્યા હતા અને વધુમાં કહીએ તો અયોધ્યામાં જે રામ મંદિરનું નિર્માણ થાય છે તેમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સંપતિ ઉપરાંત 90 લાખની અંગત સંપત્તિ દાન કરવા જઈ રહ્યા છે જે કોઈ નાની વાત નથી.

વધુમાં જણાવીએ તો દેશ-વિદેશના મુસ્લિમ સમાજના સંદેશ જાય છે કે મુસ્લિમો અયોધ્યા અને ભગવાનને પ્રેમ કરે છે, ત્યારે શહેરના ખાલપરનો રહેવાસી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે તેમણે રામ મંદિરના નિર્માણ માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લગભગ 90 લાખ રૂપિયાની સંપત્તિ દાન કરશે.

એટલું જ નહીં પરંતુ તેમણે આનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે જેમાં તેમણે આ જાહેરાત કરી છે અને વધુમાં કહ્યું હતું કે આ પ્રોપર્ટી વેચીને તેના પૈસા રામ મંદિરના નિર્માણ માટે વાપરશે. વિશેષમાં વાત કરીએ તો એ જ વ્યક્તિ છે જેમણે ભગવા કપડાં પહેરીને ઇદની નમાઝ અદા કરતા નજરે પડ્યા છે અને તેમના વિશે અનેક ચર્ચાઓ થઈ રહી છે ત્યારે તેમને આ ભગવા ડ્રેસ વિશે પૂછવામાં આવ્યું હતું.

ત્યારે તેમણે કહ્યું હતું કે યુપીમાં ધર્મને લઈને જે વાતાવરણ પ્રવર્તી રહ્યું છે તે લોકોને લાવવા માટે ધર્મ સાથે અમે ભગવા કુર્તા પહેર્યા હતા જેવી વિશેષ વાત જણાવી હતી. વધુમાં કહ્યું કે સીએમ યોગીની સરકારમાં કોઈ નાત જાતનાં ભેદભાવ અથવા તો જાતિ કે ધર્મ જોયા વિના નફરત ફેલાવનારાઓને સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેને લઇને ભયનું વાતાવરણ ખતમ થતું જોવા મળે છે.

ત્યારે અયોધ્યામાં રમખાણો ફેલાવનારો પ્રયાસ કરનારને સાત છોકરા ઉપર સરકાર દ્વારા NSA ની કાર્યવાહી કરવામાં આવી હતી જે સૌ કોઈ લોકો સુધી પહોંચી હશે. જાતિ ધર્મના ભેદભાવ વગર તે મુસ્લિમોની એટલો જ પ્રેમ કરે છે જેટલું હિન્દુઓને, ત્યારે જણાવ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે જેમાં સહકાર આપવા માટે અંગત સંપત્તિ યોગી આદિત્યનાથ ને આપવા ઈચ્છે છે.

તેમને કોઈ ભગવાનથી નફરત નથી અને તેઓ કહ્યું કે યોગીજી કોઈ ધર્મના વિરોધી નથી તે તો માત્ર ગુનેગારો અને માફિયા વિરુદ્ધ છે, ત્યારે તમામ ધર્મોની એકતાના પ્રતીકરૂપ રામ મંદિરના નિર્માણમાં આખા પરિવાર સાથે ૧૦મી મેના રોજ ગઝની અયોધ્યા જશે અને તેમના બે પ્લોટ રામ મંદિરને દાનમાં આપશે. જે કોઈ નાનું કાર્ય ન ગણી શકાય અને આ યુવકે મંદિર નિર્માણમાં 94 લાખ રૂપિયા ભેટ કર્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે આ મુસ્લિમ યુવક 90 લાખ રૂપિયાની સંપત્તિનું આપશે દાન, ધર્મ ભલે જુદા હોય પરંતુ છે તો મનુષ્ય જ ને…"

Leave a comment

Your email address will not be published.


*