લોકડાઉન ની સૂચન બાદ પ્રધાનમંત્રી મોદીની મહત્વની બેઠક શરૂ, લેવાઈ શકે છે મહત્વનો નિર્ણય.

Published on: 2:56 pm, Sun, 2 May 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાયરસ ની કથળેલી પરિસ્થિતિને લઈને મહત્વપૂર્ણ બેઠક શરૂ થઈ ચૂકી છે.દેશના કોવીડ 19 ના કેસ ઝડપથી વધી રહ્યા છે.રવિવારે દેશમાં 3,92,488 નવા કેસો નોંધાયા છે અને આ સાથે દેશમાં કોરોના ફૂલ કેસ વધીને 1,95,57,457 થયા છે.

જયારે છેલ્લા 24 કલાકમાં 3689 લોકોના મોત નિપજયા છે. દેશમાં વાયરસ ની બીજી લહેર ને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી સાથે નિષ્ણાતો ની બેઠક નો દોર સતત ચાલી રહો છે.

આ પહેલા પીએમ એ રાજ્યોના મુખ્યમંત્રી, અધિકારીઓ, ઓકસીજન ઉત્પાદકો સહિત ના અન્ય નિષ્ણાતો સાથે બેઠક યોજી હતો. આજે પણ પ્રધાનમંત્રીની મહત્વની બેઠક યોજાઇ છે.

આજ ની બેઠક બાદ કોઈ મહત્વનો નિર્ણય પણ જાહેર કરી શકાય છે.કારણ કે વાયરસ ના વધતા જતા કેસ ને જોતા કોવિડ 19 ટાસ્ક ફોર્સ ના સભ્યોએ કેન્દ્ર સરકાર ને રાષ્ટ્રીય લોકડાઉન લાદવાની અપીલ કરી છે.

કોવિડ 19 ટાસ્ક ફોર્સ અનુસાર વાયરસ ના ઝડપથી તેનું સ્વરૂપ બદલી રહો છે. ટાસ્ક ફોર્સ ભારપૂર્વક જણાવ્યું છે કે જો આ જ રીતે વાયરસ ના કેસ વધતા રહેશે.

તો દેશનું આરોગ્ય માળખું સંપૂર્ણ રીતે તૂટી જશે તેવામાં આજે યોજાયેલી બેઠક બાદ પ્રધાનમંત્રી શું નિર્ણય લે ચ તે જોવાનું રહ્યુ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લોકડાઉન ની સૂચન બાદ પ્રધાનમંત્રી મોદીની મહત્વની બેઠક શરૂ, લેવાઈ શકે છે મહત્વનો નિર્ણય."

Leave a comment

Your email address will not be published.


*