હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની કઈ આગાહી થી ખેડૂતોને થવું પડશે સાવધાન, જાણો.

Published on: 4:07 pm, Mon, 18 January 21

શિયાળાની ઠંડી ઋતુમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળે છે. વાતાવરણમાં પલટો જોવા મળતા સમગ્ર રાજ્યના ખેડૂતોને પાકને ખરાબ અસર થાઈ છે. વારંવાર આવતા કમોસમી વરસાદ ખેડૂતોને હચમચાવી મૂકે છે અને એવામાં ફરી એકવાર અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ ની આગાહી કરતા જણાવ્યું છે કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં હવામાનમાં ફેરફાર જોવા મળશે જેથી ખેડૂતોને પોતાના પાકની સુરક્ષા કરવાની વ્યવસ્થા કરી લેવાની સૂચના આપી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયા દરમિયાન ઉત્તર ભારતમાં હિમવર્ષા પડશે જેથી ગુજરાતમાં તેની અસર થતાં માવઠું આવવાની શક્યતા છે. ઉત્તર ભારત ઉપરાંત ગુજરાત,રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર કેટલાક વિસ્તારમાં.

તેની અસર જોવા મળી શકે છે.ફેબ્રુઆરી મહિનાની 1 થી 11 તારીખ સુધીમાં મળતું પડી શકે છે જે વિશે અંબાલાલ પટેલે ખાસ કરીને ખેડૂતોને ચેતવણી આપી છે. આ ઉપરાંત તેમને જણાવ્યું કે જાન્યુઆરી મહિનાની.

27 થી 31 તારીખ સુધીમાં ભારે ઠંડી પડવાની શક્યતા છે.જેમાં તાપમાન 8 ડિગ્રી થી પણ નીચે જઈ શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં તાપમાન કરશે ઉપરાંત ઠંડીનું જોર વધશે તેવું તેઓએ જણાવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની કઈ આગાહી થી ખેડૂતોને થવું પડશે સાવધાન, જાણો."

Leave a comment

Your email address will not be published.


*